SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૯ મું -: જાણવા જેવું નવું જૂનું :પૂર્વ કાળની અંદર ગિરિરાજ ઉપર જવાને માટે જે રરતા હતા તે બધા રસ્તાઓ નહીં ઘડેલા એવા પાષાણે વડે કરતા હતા. તેવી રીતે વર્તમાનમાં પણ તેવા જ રસ્તા હતા. પરંતુ દરબારને બાર મહિને ૬૦,૦૦૦ રૂપિયા રખોપાના આપવાનું વાઈસરોય દ્વારા નક્કી થયું હતું, તેથી તે આપવાને માટે આગોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ૧૧ લાખની ટેપ કરાવી હતી, કે જેના વ્યાજમાંથી તે પૈસા આપી શકાય. પણ હિંદુસ્તાન પ્રજાસત્તાક થતાં, દેશી રાજ્યનું વિલિનીકરણ થયું. ત્યારબાદ શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈએ સારા પ્રયત્નપૂર્વક એ ૬૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર પાસે માફ કરાવ્યા. આથી આ રકમ ગિરિરાજના પગથિયાં બાંધવામાં ખર્ચાઈ. એટલે જયતલાટીથી રામપળ સુધી અને ઘેટીની પાયગાથી ઘેટીની બારી સુધી ઘડેલા પાષાણુનાં પગથિયાં થયાં અને રસ્તાને સુધારો કર્યો. રામપળે આવીએ ત્યારે વિ.સં. ૧૮૯૦ પહેલાં કેટની અંદર કુંતાસારની માટી ખીણ હતી. તે વખતના લેખક લખે છે કે ખાઈ માં જોઈએ તો ચક્કર આવી જાય. વર્તમાનમાં રામપળની બહાર આપણે જોઈએ તે આપણને મેટી ખાઈ દેખાય છે. તે વખતે રામપળથી કુતાસારના ખાડાના માથા ઉપર થઈને અદબદજીની નજીકમાં થઈને સગાળપોળે અવાતું હતું. મેતીશા શેઠે આ ખાઈ પૂરીને ટ્રક બંધાવી અને બાલાભાઈ શેઠે પણ તેમની પાછળ ટ્રક બંધાવી એટલે હવે રામપળથી મેતીશાની તક આગળ થઈને સગાળપળે જવાય છે. આગળ જણાવી ગયા છીએ કે રામપળ વગેરેના બધાય દરવાજા હાલમાં નવા થયા છે. શ, ૨૭ (૨૦૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy