SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગિરિરાજનાં મેટા પાં નથી. પ્રભુ વિચરતા ત્યાં પધારે છે. શ્રેયાંસકુમાર પ્રભુને જુએ છે, ને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણમાં પૂર્વભવાના પ્રભુ સાથેના સખંધ પેાતાને જણાય છે. સાધુપણું યાદ આવે છે. સાધુને શુ ક૨ે તે સમજાય છે. તે વખતે ત્યાં ખેડૂતે આવીને તેમને ઇક્ષુર્સ ભેટ આપે છે. એટલે તે રસ પ્રભુને વહેારાવે છે. પ્રભુને વર્ષીતપનું પારણું થાય છે. એટલે દાનધમ અહીંથી પ્રવર્તે છે. પ્રથમ ભિક્ષુ ભગવાન. પ્રથમ દાન ધર્મ આદિના પ્રવર્તક શ્રેયાંસકુમાર અને પ્રથમ દાન ઈક્ષુરસ તે વાતને ઉદ્દેશીને ભાવિકે એકાંતરે ઉપવાસ કરે અને બીજે દિવસે આહાર લેવા એમ કરી વર્ષ સુધી તપ કરે છે, તેને વીતપ કહે છે. ગિરિરાજની શીતલ છાયામાં પુણ્યવાના આ તપનુ પારણુ કરવા પધારે છે. આજે પણ આઠસ–નવસા-હજાર-ખારસા અને પંદરસે તપ કરનાર પારણું કરવા ત્યાં પધારે છે. વળી દાદાને વૈ. સુ. ત્રીજના દિવસે ઈક્ષુરસથી પ્રક્ષાલ કરે છે. નીચે આવીને શેઠ આ. કે. એ વ્યવસ્થા કરેલ સ્થળે સર્વ સમુદાય પારણું કરવા પધારે છે, અને ઇક્ષુરસથી જ પારણુ' કરે છે. ત્યાં એકજ આસને બેસીને પારણુ કરે છે, એટલે ભાવિકાને એકાસણું થાય છે. આ મેળામાં ૨૦ થી ૨૫ હજાર માણસા ભેગા થાય છે, જો કે વતામાનમાં જુદાં જુદાં સ્થાને પારણાં થાય છે, છતાં પણ અહીં તેા પહેલાના જેવી જ ભીડ રહે છે. ૮. વૈશાખ વદ ૬ છેલ્લા ઉદ્ધારની પ્રતિષ્ઠાના દિવસ. અને અદબદજીની પૂજાના દિવસ. ૯. અષાડ સુદ ૧૪. (અષાડી ચામાસી ચૌદશ) ભાવિકા ગિરિરાજની યાત્રાની તમનાના ઉમંગ રાખે છે અને યાત્રાએ આવે છે. વર્ષમાં એક વખત તે ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ. સુ. ૧૪ ની યાત્રા કરી લે છે, કારણ કે પૂર્વાચાર્યાએ વિરાધનાદિ કારણાનેા વિચાર કરીને અષાડી ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ન થાય, ઉપર ન ચઢાય, તેવા નિષેધ કર્યો છે, ને તેનુ પાલન પણ થાય છે. આનું પાલન પણ કરવું જ જોઇ એ. એટલે પણ છેલ્લે છેલ્લી ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ્ પુણ્યવાને આ ગિરિરાજ પર અષાડી ચામાસાની યાત્રા કરવા આવે છે. આ રીતે વમાં આટલાં પર્ઘા મુખ્ય આવે છે, ખાકી યાત્રા તે। સદા આઠ મહિના કરાય છે. પૂર્વાચાર્યાએ લાભનું કારણ દેખીને ગિરિરાજ પર ચેમાસામાં જવાના નિષેધ કરેલા છે. તેનું શ્રીસ'ધ પાલન કરે છે. છતાં જે જાય છે તે ભૂલ કરે છે. ગિરિરાજની સ્પર્શના કરનારા અષાડીથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણા આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી. * ફાગણ વદ ૮થી બીજા વર્ષના વૈશાખ સુદિ ૩ સુધી આ તપ ચાલે છે. આથી વર્ષીતપ કહેવાય છે. ( ૧૯૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy