SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જ્યાં શ્રેષ્ઠ આત્મિકતા છે, જ્યાં પરમ એશ્વર્યા છે, તેવું જેની આરાધનાથી મળે છે, એવા મુનિના પણ ઈશ્વર એવા વર્તમાન કાળમાં, (વર્તમાન અવસર્પિણીમાં) ધર્મને સ્થાપનાર શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છું કે ૧ છે જય જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાષિત લોકાલોક | શુદ્ધ સ્વરૂપ સમાધિય, નમિત સુરાસુર છેક છે ૨ ! ખમા ! જ્ઞાનમાં સૂર્ય સરખા, લોક અને પરલોકને દેખાડનાર, શુદ્ધસ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેમને દેવતાઓને, દાનવને સમુદાય નમે છે, તે જગતના પિતા જય પામારા શ્રી સિદ્ધચલ મંડણ, નાભિ નરેસર નંદ | મિથ્યામતિ મત ભંજણે, ભવિ કુમાકર ચંદ ૩ ખમા નાભિરાજાના પુત્ર, મિથ્યાત્વીના મતનું ખંડણ કરનાર. ભવ્ય (રૂપી)કુમુદને વિકસાવવામાં ચંદ્ર જેવા, શ્રીસિદ્ધાચલની શોભા રૂપ શ્રીષભદેવ ભગવાનને નમસ્કાર થાવ. કાખમાં પૂરવ નવાણું જશ સિરે. સમવસર્યા જગન્નાથ ! તે સિદ્ધાચલ પ્રણમીએ, ભક્ત જોડી હાથ ઝાખને જે ગિરિરાજના શિખર પર પૂર્વ નવાણુંવાર શ્રી આદીશ્વર ભગવાન સમેસર્યા છેપધાર્યા છે, તે શ્રીસિદ્ધાચલ ગિરિરાજને ભક્તિ વડે હાથ જોડીને નમસ્કાર કરીએ. કાખમાશે અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમીયે, લહિએ મંગળ માળ પા પ્રમાણે જે ગિરિરાજના પ્રભાવ વડે અનંત જીવો, તેની ઉપર ભવના-સંસારના પારને પામ્યા છે, તે શ્રીસિદ્ધાચલને ભાવથી પ્રણામ કરીએ તે મંગળમાળને પામીએ. એપ જશ શિર મુકુટ મનહરુ, મરુદેવીને નંદ | તે સિદ્ધાચલ પ્રણમીએ, ઋદ્ધિ સદા સુખ વૃદ દાખમાળા જે ગિરિના શિખર પર મરુદેવી માતાના મંદ, શ્રી ઋષભદેવ મુકુટ સમાન શેભે છે, તે સિદ્ધાચલને પ્રણામ કરીએ, કે જેના પ્રતાપે હમેંશાં રિદ્ધિ અને સુખને સમુદાય મળે છે. દા (૧૬૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy