________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
આત્માને જોઈએ જ. એટલે આલંબન આ ગિરિરાજનું અને આદીશ્વર ભગવાનનું. તેથી તેમની સન્મુખ ખમાસમણ દેવાય. આને જ માટે કાતિક સુદ ૧૫ ને તે આરાધનાના ઉદ્દેશથી જગે જગે પર, ગામે ગામ શત્રુંજય ગિરિરાજને પટ બાંધીને ત્યાં ચિત્યવંદન, ખમાસમણ વગેરે કરવાનું દેવાય છે. પછી ૨૧ ખમાસમણ આપે કે ૧૦૮ ખમાસમણ આપે, પણ કાર્તિક સુદ ૧૫ મે યાત્રાના પ્રતિક તરીકે પટ જુહારવા જાય અને તે આરાધના કરે.
આ ગિરિરાજના મોટાં એકવીસ નામ છે. તેથી તે નામ ગુણ પૂર્વક લઈને તેના ખમાસમણ દે. તેમાં પહેલું નામ “શત્રુંજયનું લે છે. કાર્તિક માસની અપેક્ષાએ પ્રથમ કાતિકથી મહિમા વર્ણવ્યો, એટલે પ્રથમ કાર્તિક સુદ ૧૫ ની વાત લીધી.
શુકરાના પિતાનું રાજ્ય શત્રુઓએ લઈ લીધું છે તેથી ભારે ચિંતામાં પડેલા છે. રાજ્ય પાછું આવવાને કોઈ રસ્તો જડતું નથી. એથી ઉપદેશક પાસે જાય છે. ત્યારે સલાહ મળે છે કે હે પુણ્યવાન બીજી બધી જંજાળમાં તેને સારુ કાંઈ નહિ આવે માટે શાંત ચિત્તે તમે શત્રુંજય ગિરિરાજનું છ મહિના ધ્યાન કરે. આથી તેઓ ગિરિરાજનું ધ્યાન છ મહિના ધરે છે. તેના પ્રતાપે શત્રુ ઉપર પિતાને જય થાય છે. અને રાજ્ય પણ પાછું મળે છે. આમ બાહ્ય અને આત્યંતર શત્રુઓને નાશ કરનાર આ તીર્થ છે. એથી આ તીર્થનું પહેલું નામ “શત્રુંજય” એવું પડે છે. તેથી પહેલાં જ ખમાસમણમાં તે નામ લેવાય છે. (ખમાગ ૧) -
સમોસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર ! લાખ સવા માહાત્તમ કહ્યું, સુર નર સભા મઝાર દે, ચિત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ / પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિ નિલયમાં વાસ ના તેણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત છે
મન, વચ, કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત 0ા સિદ્ધારા શ્રીત્રઢષભદેવ ભગવાન સિદ્ધગિરિરાજ પર પધાર્યા છે. અને દેવતા, અસુરે ને માનવની એમ બાર પરિષદમાં સભામાં ગિરિરાજના મહિમાનું વર્ણન કરે છે. અને જણાવે છે કે-બધાં તીર્થો કરતાં આ તીર્થને મહિમા સવાલાખગણે છે. વિહારના સમયે ગણધર શ્રી પુંડરીક સ્વામિને જણાવે છે કે “આ તીર્થના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અને મોક્ષે જવાશે. વળી તમારી આરાધનાથી આ તીર્થને મહિમા
(૧૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org