SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બે યાત્રા એક સાથે કરનાર શાંતિનાથ ભગવાનનું ચૈિત્યવંદન કરી દાદાનાં દહેરે ચૈત્યવંદન કરી રાયણ પગલાં અને પુંડરીકરવામીનું દર્શન કરી ઘેટીના પાયગાયે જાય છે. અહીં દર્શન અને ચૈત્યવંદન કર્યા પછી ફરીથી બીજીવાર ઉપર ચડે છે. ઉપર આવીને સેવા પૂજા કરનાર નહાઈ પૂજાના સમયે પૂજા કરે છે. અને સમય મળે એટલે પ્રદક્ષિણા કરવા માંડે. પ્રદક્ષિણા કરતી વખતે રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીનું ચિત્યવંદન, ખમાસમણાં, સાથિયા, કાઉસગ્ગ વગેરે વિધિ પૂરી કરે છે. ત્રણ યાત્રા કરનાર ઉપરની પદ્ધતિ પ્રમાણે ત્રણ યાત્રાની ક્રિયા કરે છે. નવાણું યાત્રા કરનાર નવ વખત નવ ટૂંકમાં જાય છે. ઘેટીની પાયગાએ પણ છે ઓછામાં ઓછાં નવવાર દર્શન તે કરે જ. નવાણું યાત્રા કરનાર આયંબીલ કરીને એક વખત બે વાર જાત્રા કરે છે, અને ઉપવાસ કરી ત્રણ જાત્રા એક દિવસે સાથે કરે છે. વળી શેત્રુંજી નદીમાં નાહીને પણ એક જાત્રા કરે છે. (હાલમાં બંધ બંધાયેલો હોવાથી નદીમાં નહાવાનું વિકટ બન્યું છે.) જતાં આવતાં ત્રણ ગાઉના અંતર વાળી રસાળાની પાયગાએ એક વાર જાત્રા કરવા જાય અને એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરની પ્રદક્ષિણા કરે ત્યારે દેઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે છે. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા દે છે. એક વાર બાર ગાઉની પ્રદક્ષિણ (બંધ ન હતું ત્યારે) દેવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ અને કદમ્બગિરિનાં દર્શન પણ કરે. નવ્વાણું યાત્રા કરનાર પોતાની શક્તિ પ્રમાણે તર કરે છે. આ સિવાય, કેટલાક એક લાખ નવકારમંત્રનો જાપ નવાણુ યાત્રામાં પૂરું કરે છે. અથવા તે એક યાત્રા કરતી વખતે દશ બાધી માળા ગણે છે. પગપાળા છરી પાળી યાત્રા કરે, તેને વધુ પુણ્ય મળે છે. તે જેટલું પુણ્ય મેળવે તેના કેટલાએ ભાગનું પુણ્ય ડાળીમાં બેસીને યાત્રા કરનાર મેળવે છે. (૧૫૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy