SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ ગિરિરાજની નવ્વાણું યાત્રા પરમ પાવન શ્રીશત્રુંજય ગિરિરાજ પર શ્રીઆદીશ્વર ભગવાન પૂ નવ્વાણું વાર ફાગણ સુદ-૮ ના દિવસે પધાર્યા હતા. દર વખતે તે આજ દિને પધાર્યાં હતા. ભગવાનની આ યાત્રા ધ્યાનમાં લઇને પુણ્યશાળી આત્માએ પણુ અષાડ ચાતુર્માસ સિવાયના આઠ મહિનામાં નવ્વાણું યાત્રા કરવા અહીં પધારે છે, અને અહી'ની ધર્મશાળાઓમાં સ્થિરતા કરી કારતક સુદ ૧૫ શ્રી ગિરિરાજ પર યાત્રા શરૂ કરે છે. આ નવ્વાણું યાત્રા શેષ કાળમાં ગમે ત્યારે અનુકૂળ દિવસથી આરંભ કરવામાં આવે છે. યાત્રી પોતાની ધર્મશાળામાંથી નીકળી જયતળેટીએ પહોંચી ત્યાં શ્રીગિરિરાજનુ‘ ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. રસ્તામાં ચાલતાં ક્રમે રામપાળ, સગાળપાળ, વાઘણપાળ આવે છે. ત્યાં શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરે ચૈત્યવંદન કરી, હાથીપાળ થઈ રતનપાળે જાય છે. અહી શ્રીઆદીશ્વર દાદાનુ દર્શન કરી ચૈત્યવંદન કરે, એક જ યાત્રા કરનાર પ્રદક્ષિણા દેવાનુ શરૂ કરે અને ત્રીજી પ્રદક્ષિણામાં રાયણના વૃક્ષને પ્રદક્ષિણા ઈ ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનની પાદુકા આગળ ચૈત્યવંદન કરે છે અને પછી દર્શીન કરતાં આગળ ચાલતાં પુંડરીકસ્વામીના દર્શન કરી ચૈત્યવંદન કરે છે. દરેક યાત્રામાં નવ સાથિયા, નવ લાગસ્સના કાઉસ્સગ્ગ અને નવ ખમાસમણાં દે છે. એટલુ કરે એટલે એક યાત્રા કરી કહેવાય. (૧૪૯ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy