SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર સમરાશા આ સાંભળી ચિંતામાં પડ્યા, કે મજબૂત ગાડાના ચૂરા થઈ ગયા, તે હવે શિલા છેક પાલીતાણા સુધી કેવી રીતે લઈ જવાશે? રાત્રે શાસનદેવે સમરાશાહને કહ્યું કે “સમર! તું ચિંતા કરીશ નહિ, ઝંઝા ગામમાં એક દેવી છે, તેની યાત્રા માટે એક ગાડું બનાવવામાં આવેલું છે, તે દેવથી અધિષિત છે અને ઘણું મજબૂત છે, એટલું જ નહિ પણ તેમાં પચાસ માણસે બેસે અને ગાડાને બે કેસને અંતરે જોડેલા માત્ર બે બળદથી ગાડું ચાલવા લાગે છે. આ ગાડું દેવી પોતે પિતાના પૂજારીને આદેશ કરીને અહીં તારી પાસે મોકલાવશે. તે ગાડા દ્વારા શિલાને સિદ્ધાચલજી સુખપૂર્વક લઈ જવાશે.” સમરાશા સવારે ઝંઝા ગામે જવા વિચાર કરે છે, ત્યાં દેવીને પૂજારી આવી પહોંચ્યો અને કહ્યું, કે દેવીએ મને આદેશ કર્યો છે કે તું પાટણ સમરાશાની પાસે જઈને કહે કે “મારા ગાડાથી શિલાને લઈ જવાશે.” રસ્તાના ખાડા ટેકરા વાળી જમીન સરખી કરવા માટે ૧૦૦ માણસો સાથે દેવીએ ગાડું અને વીસ જડી બળદે મોકલ્યા. તે ગાડા દ્વારા શિલા ગામોગામ પૂજન અને મહેન્સવ કરાતી પાલીતાણા આવી પહોંચી. પાલીતાણાના સંઘે પણ ધામધૂમ પૂર્વક શિલાનો નગરપ્રવેશ કરાવ્યા. સમરાશાહે માણસો આદિને વસ્ત્ર, ધન, અલંકાર, વગેરે આપીને ખુશી કર્યા. સિદ્ધાચલજી ઉપર શિલા ચઢાવવાનું જણાવ્યું અને શિલ્પશાસ્ત્રમાં કુશળ સેળ કારીગરને સિદ્ધાચલજી મોકલ્યા. તથા જૂનાગઢમાં બિરાજમાન શ્રીબાલચંદ્ર મુનિને પ્રતિમાજી ઘડાય તેની દેખરેખ રાખવા માટે વિનંતિ કરીને સિદ્ધગિરિજીએ બોલાવ્યા. શિલાને વધારાને કેટલેક ભાગ કાઢી નાંખીને શિલા કંઈક હળવી બનાવીને ૮૪ માણસેએ છ દિવસમાં શિલા ઉપર ચઢાવી, માણસોને ધન વગેરે આપી સંતુષ્ટ કર્યા. હાલમાં તે શ્રીસિદ્ધગિરિજી ઉપર ચઢવા માટે સુંદર સરસ પગથિયાં બનાવવામાં આવેલાં છે, જ્યારે તે વખતે તો ચઢવા માટે પથ્થરના ટુકડાઓ ઉંચા-નીચા ગોઠવેલા હતા એટલે કે ઈપણ વસ્તુ ઉપર લઈ જવાનું કામ તે વખતે ઘણું કઠીન હતું. વર્તમાનમાં દરવાજા વગેરેના કામ માટે પત્થરો વગેરે મજૂરે કેવી રીતે ઉપર લઈ જાય છે અને કેટલી મહેનત પડે છે તે જુઓ તે ખ્યાલમાં આવે કે પૂર્વકાલમાં ગિરિરાજના કઠણ માર્ગે મંદિર વગેરે કેટલા પરિશ્રમે અને કેટલા દ્રવ્યના વ્યયે બંધાયાં હશે? માલ-સામાન કેટલી મુશ્કેલીએ ઉપર ચઢાવ્યું હશે ? (૮૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy