________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે જ્યારે ભાગ્ય જેર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે, અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓનો વરસાદ વરસે છે.
ભાવડશા બાર ગામના અધિપતિ બન્યા. ભાવલાએ એક પુત્રરત્નને જન્મ આપે. આથી ભાવડશા એક પુત્રરત્નના પિતા બન્યા. તેનું નામ જાવડશા રાખવામાં આવ્યું.
ભાવડશાનું આયુષ્ય પૂર્ણ થતાં બધી સંપત્તિના માલિક જાવડશા બન્યા.
આ વખતે વિષમકાળના પ્રભાવે શ્રી શત્રુંજય મહાતીર્થનો અધિષ્ઠાયક કાયિક્ષ મિથ્યાત્વી થઈ ગયું હતું. તેથી ઘણી હિંસા કરવા લાગ્યું, અને આખા ગિરિરાજ ઉપર માંસના લેચા, રૂધિરના ખાબોચિયાં, હાંડકાના ઢગલા, જ્યાં ત્યાં એકઠા થવા લાગ્યા. તેથી તીર્થની ખૂબ આશાતના થવા લાગી. ગિરિરાજની ફરતા પચાસ એજનની અંદર જે કઈ આવે તે મૃત્યુના મુખમાં હેમાઈ જતા, આથી યાત્રાળુઓ આવતા બંધ થઈ ગયા હતા.
આવી પરિસ્થિતિમાં કોઈ પ્રભાવક આચાર્ય આ યક્ષને દૂર કરે અને નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બને. એક બાજુ કપર્દિ યક્ષનો ઉપદ્રવ સતાવતો હતો. ત્યાં બીજી બાજુ પ્લેછ-મેગલે સૌરાષ્ટ્ર ઉપર ચઢી આવ્યા. ધન, માલ, મિલકત લુંટી લેતા, માણસેનો નાશ કરતા અને માણસોને ઉઠાવી જતા. મેગલ સિન્ય મહુવા નગરમાં પ્રવેશ્ય. બીજા ઘણાં કુટુંબને કેદ કરી ઉઠાવ્યાં, તેમાં જાવડશાનું કુટુંબ પણ સપડાઈ ગયું. બધાને મેગલે પોતાના દેશમાં લઈ ગયા.
અનાર્ય દેશમાં રહેવા છતાં જાવડશા ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. વળી જાવડશા બુદ્ધિશાળી અને હોંશિયાર હોવાથી વિવિધ પ્રકારની વાત વગેરેથી સ્વેચ્છાને પણ ખુશ કરી દીધા. આથી બાદશાહે જાવડશાને સ્વતંત્ર રીતે રહેવાની અને વેપાર કરવાની રજા આપી.
હવે જાવડશા સ્વતંત્ર રીતે વેપાર કરવા લાગ્યા, તેમાં ઘણું ધનની પ્રાપ્તિ થઈ. બાદશાહની રજા મેળવી તેણે એ નગરમાં એક શ્રીજિનેશ્વર ભગવંતનું દહેરાસર બંધાવ્યું. બહારના જે કઈ સાધર્મિક આવે તેને સર્વ પ્રકારની સહાય આપતા હતા. આથી ત્યાં ઘણું જેનો એકઠા થયા. સૌ સારી રીતે ધર્મ આરાધના કરવા લાગ્યા.
એક વખતે એક મુનિવર વિહાર કરતા ત્યાં પધાર્યા. જાવડશાએ સારૂં સ્વાગત કર્યું. જાવડશા હમેશાં વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. એક દિવસે વ્યાખ્યાનમાં શ્રીસિદ્ધાચનજીના મહિમાનો પ્રસંગ ચાલતો હતો, તેમાં વર્તમાનમાં થઈ રહેલી આશાતના વિગેરેની
(૬૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org