SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ એમ કહીએ તે ચાલે. પૈસાદાર માણસ, વિષયોને અતિશય સગી બનીને, કુલટા સ્ત્રીમાં એવા આસક્ત મનવાળો થઈ જાય કે બધાને છોડે પણ એને છોડે નહિ અને ગમે તેવા ડાહ્યા માણસે સમજાવે કે–એ કુલટા સ્ત્રી છે અને તને એણે ભરમાવી દીધો છે, તે પણ એના રાગમાં એ એ આંધળો બનેલો હોય કે–એવું કહેનાર ડાહ્યાઓને એ ગાંડા માને અને કુલટાને જ સતી માનીને એના માટે ફના થઈ જાય; એના જેવું કામ આભિનિવેશિક મિથ્યાત્વનું છે. ભણેલા-ગણેલા; સમજી શકે કે સમજાવી શકે એવા, સૂક્ષ્મ બુદ્ધિથી સમજાય તેવી વાતોને પણ સહેલાઈથી સમજીને બીજાઓને સમજાવવામાં દક્ષ અને સમ્યગ્દષ્ટિ તો ખરા જ, આવાઓને પણ, શ્રી જન શાસ્ત્રની કઈ પણ બાબતમાં શ્રી જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થનો પોતાના ચડસથી જે આગ્રહ થઈ જાય, તે તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આભિનિવેશિક મિથ્યાત્વ થાય, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય; એટલે કે-જેઓ પહેલાં સમ્યગ્દષ્ટિ હોય, તેઓ જ સમ્યગ્દર્શનને વમીને આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બને એ સંભવિત છે. બધા જ સમ્યગ્દષ્ટિએ આ મિથ્યાત્વને પામે–એવું પણ નથી અને સમ્યગ્દર્શનને નહિ પામેલે કોઈ આ મિથ્યાત્વને પામે એવું તે બને જ નહિ. સમ્યગ્દર્શનને પામીને તત્ત્વના સ્વરૂપને સારી રીતિએ જાણનારા બનેલા હોય, એવાઓને પણ કેઈક વાર શ્રી જિનપ્રણીત શાસ્ત્રની કઈક વાત ઊલટા રૂપે પકડાઈ જાય—એ શક્ય છે. શાસ્ત્રની વાતને ઊલટો અર્થ થઈ જાય અને તે પછી તે અર્થ ચડસને માર્યા પકડાઈ જાય, એટલે દશા એવી થાય કે-બીજાઓ કે જેઓ શાસ્ત્રના અર્થને જાણતા હેય, તેઓ સમજાવે કે-“તમે જે અર્થ કરે છે તે બેટ છે.” તેય આ ચડસને માર્યો એમ જ કહે કે-“નહિ, હું કહું છું તે અર્થ જ સાચે છે. શાસ્ત્રોના સાચા અર્થને જાણનારા સમજાવે કે-“આટલી આટલી રીતિએ તમે કરેલ આ અર્થ છે. છે –તેય તે પોતે કરેલા અર્થને સાચે ફરાવવાને માટે, એની સામે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy