SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ <] રહ્યો છે. છેલ્લાં પચાસ વર્ષથી તે તેમનાં પ્રવચના છપાઈ ને લગભગ નિયમિતપણે પ્રગટ થતાં રહ્યાં છે. ધ્યાનથી વાંચનારને તેઓશ્રીના કોઈ પણ પ્રવચનમાંથી સમ્યગ્દર્શનના ધ્વનિ સભળાય નહિ તા એ એક આશ્ચય સમજવું. સમ્યગ્દર્શનના વિષય ઉપર તેઓશ્રીની પક્કડ એટલી તા મજબૂત છે કે એ વિષય ઉપર તેઓશ્રી જે લેાકભાગ્ય મિમાંસા કરે છે તે ભાગ્યે જ બીજે કયાંય સાંભળવા મળે. એકની એક વાત વર્ષોથી કરી રહ્યા છતાં શ્રોતાઓ એ વાત નિત્યનવીન હોય તે રીતે મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા જ કરે, એવી તેઓશ્રીની આશ્ચર્ય જનક પ્રતિમા છે. આ જગતની એ પણુ એક વિચિત્રતા છે કે-જયાં સારી પણ વસ્તુ દરેકને સારી જ અસર કરનારી નિવડે તેવુ' બનતુ' નથી. પૂજ્ય પ્રવચનકારશ્રીજીના ‘સમ્યગ્દર્શન • વિષયક પ્રવચના જેમ અનેક આત્માઓને અપૂર્વ લાભદાયી નિવડયાં છે, અનેકની જીવનનિર્દેશાને અદલી નાખનારાં બન્યાં છે તેમ કેટલાકને એ પ્રવચના પેાતાની ચથેચ્છ પ્રવૃત્તિને ખુલ્લી પાડનારા જણાવાથી, તે તેનાથી જ એક પ્રકારની ઊડી અકળામણ અનુભવે છે. આ અકળામણમાંથી ઉદ્ભવેલા દ્વેષના કારણે તે એવુ પણ ખેલવાનું સાહસ કરે છે કે- ત્યાં તા સમ્યક્ત્વનાં પડીકાં વહેંચાય છે. ‘સુ' અને કુ' ની વાતા કરી ખેાટા વિવાદ ઊભા કરાય છે. શાસ્ત્રના નામે તેઓ ઝઘડા કરાવે છે. વિગેરે વિગેરે.’ તેની આવી ખાલિશ વાતાની પૂજ્ય પ્રવચનકારશ્રી નોંધ સરખી પણ લેતા નથી. ઊલટુ' એવા દ્વેષીજને પ્રત્યે પણ કેવળ કરુણાબુદ્ધિ ધરાવતા એ મહાપુરુષ શ્રી જૈનશાસનના નિર્ભેળ સત્યાને પ્રકાશિત કરનારી સન્મા દેશનાના કલ્યાણમાગે આજ પર્યંત અસ્ખલિતપણે ગતિ કરી રહ્યા છે. તેઓશ્રીની એ ગતિમાં અનેક અવરોધો ઊભા કરવાના તેઓશ્રીના વિરાધીઓના કે દ્વેષીજનાના આજ સુધીના સઘળા ય પ્રયત્ને સદંતર નિષ્ફળ નિવડયા છે, એવુ કહેવામાં લેશ પણ અતિશયાક્તિ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy