SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ પપ આગ્રહ હોય છે. સમજાવનાર જેમ જેમ સમજાવવાને મથે, તેમ તેમ એને કેમ તેડી પાડ–એને જ પ્રાયઃ એ વિચાર કરે છે. એને મન સાચું તે મારું નહિ, પણ મારું તે જ સાચું હોય છે. જ્ઞાનીઓની નિશ્રામાં શ્રદ્ધા , તે તે વાત જુદી છે. આજે તમે તત્ત્વજ્ઞાનને પામેલા નથી, પણ જે ગીતાર્થની નિશ્રાએ બરાબર છે, તે તત્વજ્ઞાની નથી એટલે મિથ્યાદષ્ટિ છે–એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાઓને તે, સમ્યક્ત્વને પામવાની સુલભતા છે, પણ એનામાંય જે અસફ આગ્રહ હોય, તે તે મિથ્યાષ્ટિ મતે નથી. અજ્ઞાન માણસ, માત્ર પોતાના કુલાચારને વળગીને, જે ધર્મક્રિયા ચાલતી હોય તેને આગમની કટીએ કસવાની ના પાડે અગર તે આગમની વાતની ઉપરવટ થઈનેય, પિતાના કુલાચારને વળગી રહેવાની વૃત્તિ રાખે, તે તેય અભિગ્રહિક મિથ્યાદષ્ટિ ગણાય. સારી ક્રિયાને પણ સારી તરીકે જાણવાની વૃત્તિ અવશ્ય જોઈએ. જૈન કુળમાં જન્મેલાને દેવ પણ સમ્યકત્વના ઘરના, ગુરુ પણ સમ્યક્ત્વના ઘરના અને ધર્મ પણ સમ્યકત્વના ઘરને જોઈએ. આથી કેઈ આવા દેવ-ગુરુ-ધર્મની નિશ્રાએ જ વર્તતે હય, તેનામાં મિથ્યાત્વને ટકવાને અવકાશ નથી. તમે જે ગીતાર્થની નિશ્રાને સ્વીકારી લે તે ફાવી જાવ. ગુરુની ધમાં પણ તમે ભૂલ ન ખાવ, તે જોવાનું. તમારા કષાયને વેગ મળતું હોય એથી ગુરુ ગમે, એવું નહિ બનવું જોઈએ. ગુરુ ગીતાર્થ જોઈએ. એટલે, તમે તમારું ગાડું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ ચલાવી લેવા માંગે, તે તે બરાબર નથી. તમારે સમજવાની કેશિશ કરવી જ જોઈએ. કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરનારાઓએ વિચાર કરે જોઈએ કે-“આગમ પ્રમાણુ ગણાય કે આગમ વિરુદ્ધને કુલાચાર પ્રમાણ ગણાય? બેમાં મેટું કેણુ? કુલના વડીલો કે આગમ? ખરી રીતિએ જોતાં તે આગમ જ મેટું છે, કુલના વડીલે નહિ !' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy