SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬] સમ્યગદશન-૧ રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય છે? જ્યારે દેશમાં ગુણસ્થાનકે આત્મા સર્વથા રાગદ્વેષથી રહિત થઈ જાય છે, તે પછી દશમ ગુણસ્થાનકેથી આગળ વધી અગિયારમાં ગુણરથાનકે જઈ પાછા કેમ પડાય? એક વાર રાગદ્વેષને સર્વથા અભાવ થઈ જાય અને પછી પાછા રાગકેષથી ભરેલા બની જવાય એમ બને ખરું? ઉ૦ મુંઝાઓ મા. જે કહેવાય છે તે રીતસર સમજવા પ્રયત્ન કરો. એક વાર રાગદ્વેષને સર્વથા અભાવ થઈ જાય, એટલે અનન્તાકાળે પણ એ આત્માં રાગદ્વેષથી લેપાય જ નહિ. એ નિર્મલતા આવી તે આવી. પછી તે અનન્તાકાળે પણ જાય જ નહિ ! દશમા ગુણસ્થાનકે જે આત્માએ રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય, તે આત્માઓ અગિયારમા ગુણસ્થાનકે નહિ જતાં દેશમાંથી સીધા બારમે જ ગુણસ્થાનકે જાય અને ક્ષપકશ્રેણિ માંડેલા આત્માઓ જ દેશમાં ગુણસ્થાનકે રાગદ્વેષથી સર્વથા રહિત બને છે, એ વાત કહી હતી ને ? સભા, હા જી. એ બરાબર યાદ છે તે આ મૂંઝવણ ન થાત અને ક્ષપકશ્રેિણિની વાત ઉપશમણિની વાત સાથે તમે જડી તે જેડાત નહિ. ક્ષપકશ્રેણિવાળા અને ઉપશમ શ્રેણિવાળા આત્મામાં દશામા - ગુણસ્થાનકે રહેતે ફરક : પ્ર. ઉપશમશ્રેણિવાળા આત્માઓ દશમાન અને રાગદ્વેષથી - સર્વથા રહિત નથી બનતા, એમ જ ને? ઉ૦ છે તે એમ જ, પણ એમાં સમજવા જેવું છે એ નહિ સમજે તે ફેર ભુલાવામાં પડતાં વાર નહિ લાગે. ઉપશમશ્રેણિ માંડીને દશમા ગુણસ્થાનકે પહોંચેલા આત્માઓને રાગ કે દ્વેષ ઉદયમાં હેતા નથી, પણ સત્તામાં જરૂર હોય છે. રાગદ્વેષને સર્વથા અભાવ નહિ, પણ રાગદ્વેષના ઉદયને સર્વથા અભાવ ઉપશમણિમાં દશમાએ પહોંચેલાને * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy