SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] સમ્યગદશન-૧ પણ ક્ષય નહિ પામનારા એવા વિવેકને પામેલા તે પુણ્યાત્માએ નરકે જાત જ નહિ ! ક્ષાયિક સમ્યફત્વવાન નરકે જાય તે જ્યારે જાય ? ૨૦ ક્ષાયિક સમ્યકત્વને પામેલા આત્માઓને વધુમાં વધુ એક જ વાર નરક જવું પડે એમ જ ને ? ઉ૦ ક્ષાયિક સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓ, સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે નરકનું આયુષ્યકર્મ બાંધી ચૂક્યા હોય તે જ તે પછીના પ્રથમ ભવમાં નરકે જાય; બાકી ક્ષાયિક સમ્યક વની પ્રાપ્તિ થયા પછી આત્મા કદિપણ નરકે જાય નહિ. સાયિક સમ્યકત્વ અને ક્ષપશ્ચણિઃ પ૦ ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછીથી આત્મા મેક્ષે કયારે જાય ? ઉ૦ ક્ષાચિક સમ્યક્ત્વ પામતાં પહેલાં જે આયુષ્યકર્મને બંધ ન પડી ગયે હોય, તે તે આત્મા તે જ ભવમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ. ક્ષાયિક સમ્યકત્વ ક્ષપકશ્રણ માંડયા વિના પમાતું નથી. હવે ક્ષપકશ્રેણિ માંડ્યા પછી આત્માએ તે પૂર્વે આયુષ્યકર્મને બંધ કરી લીધું હોય, તે તે આત્મા દર્શનસપ્તકને ક્ષય કરીને અટકી જાય છે, અને એથી જ તે ક્ષપકશ્રેણિને ખંડ ક્ષપકશ્રેણિ કહેવાય છે. કદાચિત્ એમ પણ બને છે કે–આત્મા ક્ષપકશ્રેણિ માંડ્યા પછીથી અનન્તાનુબંધી ચારને ક્ષય કરીને વિરામ પામી જાય છે, અને મિથ્યાત્વને તેણે ક્ષય નહિ કરેલ હોવાથી તેના ઉદયથી ફરી અન નાનુબંધી ચતુષ્ક બાંધે એ શક્ય છે. પણ જેઓએ પૂર્વે આયુષ્યકર્મને બંધ ન કરી લીધું હોય, તે આત્માઓ તે ક્ષપકશ્રેણિ માંડી, દર્શનસપ્તકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગ્દર્શનને પામી, ચારિત્રમિહનીય ક્ષચ કરી વીતરાગતા પામી બાકીનાં ત્રણે ઘાતિકર્મોને ક્ષય કરી અન્નમુહૂર્તમાં કેવળજ્ઞાન પણ ઉપાજે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy