SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણ [૪૭ નગર બહાર કઢાવી મૂકી. પરંતુ ભવિતવ્યતાના ગે બરાબર સાતમા દિવસે બાળક માતાના ખેળામાં હતું અને બારણાની ભૂંગળ, જેને આકાર બિલાડી જે હતો, તે બાળકના ઉપર પડી અને બાળક મરણ પામ્યું. રાજાને ખાતરી થઈ ગઈ કે ખરેખર, જૈનશાસનમાં જ સમર્થ જ્ઞાનીઓ છે. જિનશાસનની અવહેલના ફેલાઈ હતી તે નાશ પામી, અને વરાહમિહિરની અપભ્રાજના થઈ. નિમિત્તને ઉપગ મહાપુરુષે આવે સમયે કરે. નૈમિત્તિક શ્રી જિનેશ્વરદેવના શાસનને પ્રભાવક ગણાય પણ એ નિમિત્તજ્ઞાનને પચાવી જાણે અને અવસરે જ ઉપગ કરે તે, અન્યથા નહીં. (૫) તપસ્વી: તપસ્વી પણ શ્રી જિનશાસનને મહાન પ્રભાવક છે. તપ બાહ્ય અને અત્યંતરના ભેદથી બાર પ્રકાર છે. તપસ્વી કેવા હોય. તે પ્રભાવક ગણાય, એ જણાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે તપ ગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ આશ્રવ લોપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ. તપસ્વી એવા કે જે તપગુણને દીપાવે. એ તપગુણ દીપે ક્યારે ? જ્યાં જાય ત્યાં ધર્મને રેપે ત્યારે. આથી સાબિત થાય છે કે શ્રી જિનેશ્વરટેવના શાસનને તપસ્વી જ્યાં જ્યાં જાય ત્યાં ઘર્મને જ રેપે; પણ એ ધર્મને ક્યારે રોપી શકે? તે તેને જવાબ એ. છે કે-ગોપે નવિ જિન આણ” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગોપ નહિ તે, છુપાવે નહિ તે જ ધર્મને રોપી શકે. જમાનાના નામે બીજા ગમે તે બહાને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છુપાવાય કે આધી પાછી કરાય તે શ્રી જિનેશ્વરદેવને ધર્મ રોપાય કે ઊખડી જાય? આ વાત બરાબર વિચારવા જેવી છે. કેઈને કદાચ ન ચ્ચે તેવી છે, તેમ છતાં સત્ય હોવાથી કા કે લખ્યા વિના ચાલે તેવી નથી. તપગુણને દીપાવ હોય, સ્થાને સ્થાને ધમને રેપ હોય તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છુપાવવી નહિ પાલવે. આ મહાપુરુષે આજ્ઞાની દાંડી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy