SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનના પ્રકીર્ણ કિરણે [૪૭૧. ૭. સાતમે દર્શનાચાર “વાત્સલ્ય છે. સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ બતાવ. તેની ઉચિત ભક્તિ કરવી તે “વાત્સલ્ય” નામને દર્શનાચાર છે. ૮. આઠમે દર્શનાચાર “પ્રભાવના છે એટલે કે શ્રી જિનશાસનની વિશ્વમાં પ્રભાવના થાય, અનેક આત્માઓ શ્રી જિનશાસન પ્રત્યે આકર્ષાય તેવી પ્રવૃત્તિ કરવી. ૧. નિઃશકિત-શ્રી જિનેશ્વરદેવના વચનમાં જરા પણ શંકા. નહિ. એ પરમતારકોને ખોટું બોલવાનું કાંઈ જ કારણ નથી. કારણ કે, તેઓ રાગ, દ્વેષ અને મેહથી સર્વથા રહિત હતા. તેમનું જ્ઞાન ત્રિકાલા બાધિત હતું. વર્તમાન યુગ તેમની જ્ઞાનદષ્ટિથી બહાર ન હતે. તમને અને અમને એ ઓળખતા હતા. કેવળજ્ઞાની ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાને બરાબર જાણે, એટલે એમની આજ્ઞા આ કાળને પણ સ્પશીને જ નીકળેલી છે. એમાં શંકા કરવાનું કઈ કારણ નથી. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું,એ મજબૂત વિશ્વાસ એ સમ્યગદર્શનને નિઃશંકિત નામને પહેલે આચાર છે. સમ્યક્ત્વમોહનીચના મૂંઝવવાથી શંકા થાય, એ દેષ છે પરંતુ વસ્તુને સમજવા માટે-હદયમાં જચાવવા માટે પ્રશ્ન થાય એ દોષ નથી. “આજના કાળમાં ભગવાનની આજ્ઞા કામ ન લાગે––આવું સમ્યગ્દષ્ટિથી ન બેલાય કે ન વિચારાય. સમજવું જોઈએ કે-“નિષ્કારણ ઉપકારી, રાગ-દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત બનેલા અનંતજ્ઞાનના ધરનારા શ્રી જિનેશ્વરદેવે કદી પણ અસત્ય કહે એ સંભવતું જ નથી. મને નથી બેસતું તેમાં કારણ મારી બુદ્ધિની મંદતા છે; બાકી શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું હોય તેમાં તે કઈ કાળે ફેરફાર ન જ હોય. આ સમજના ગે આત્મા સ્થિર રહી શકે છે. પરન્તુ “મારી મતિની મંદતા છે, એમ માનવાનું હૈયું હેવું જોઈએ ને? . આજે તે કેટલાક એમ પણ કહે છે કે-અમારી બુદ્ધિમાં બેસે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy