SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણે [ ૪૬૫ જૈન, જૈનમુનિ કે જૈનાચાય કહેવડાવવા છતાં, આગમાને માનવાના ઇન્કાર કરવા અને તેમ કરવા બીજાઓને પ્રેરવા, એ ઇરાદાપૂર્વક પેાતાને અને બીજા અનેક આત્માઆને પણ નાશ કરવાની ભય'કર કતલકારિણી ક્રિયા છે. આથી દરેકે દરેક જૈનની, જૈનમુનિની કે જૈનાચાર્યની ફરજ એ છે કે—શ્રી જિનેશ્વરદેવના આગમથી વિરુદ્ધ જતી એકપણ પ્રવૃત્તિને મનથી, વચનથી કે કાયાથી ન તે આચરવી જોઈએ કે ન તા આચરનારાઓની અનુમેાદના કરવી જોઈ એ. કારણ કે એમ કરવામાં જ આત્માના નિસ્તાર થઈ શકે તેમ છે. પણ એ દશા, એ ભાવના અને એ નિશ્ચય ત્યારે જ થશે, કે જ્યારે સમ્યકૃત્વરૂપ રત્નપ્રદીપ મનેામંદિરમાં સદાને માટે ઝળહળતા રાખવામાં આવશે. સર્વ ગુણનુ` મૂળ સમ્યગ્દન ખરેખર, આ સમ્યગ્દર્શન એ સઘળાય ગુણાનું મૂળ છે. સમ્યગ્રત દર્શન વિના ગુણે! પણ સાચા સ્વરૂપમાં ગુણુની કક્ષામાં નથી આવતા. એ જ કારણે ઉપકારી ફરમાવે છે કે— યમ અને પ્રશમને જીવાડનાર સમ્યગ્દર્શન છે : જ્ઞાન અને ચારિત્રનુ બીજ સમ્યગ્દર્શન છે : તપ તથા શ્રુત આદિને હેતુ પણ સમ્યગ્દર્શન છે. અનન્તજ્ઞાનીઓએ આમ ફરમાવેલુ છે. ચારિત્ર અને જ્ઞાન વિનાનું...પણ દુન શ્લાઘ્ય છે, પરંતુ મિથ્યાત્વવિષથી દુષિત એવાં જ્ઞાન અને ચારિત્ર શ્વાથ્ય નથી. જ્ઞાન અને ચારિત્રથી હીન એવા પણ શ્રી શ્રેણિક મહારાજા, ખરેખર, સમ્યગ્દર્શનના માહાત્મ્યથી શ્રી તીર્થંકરપણાને પામશે. ચારિત્ર અને જ્ઞાનને નહિ ધરનારા એવાં પણ પ્રાણીઓ જે સમ્યગ્દર્શનના પ્રભાવથી અસમ સુખના નિદાનરૂપ માક્ષને પામે છે અને જે સમ્યગ્દર્શન સ`સારસાગરથી પા૨ પામવાને માટે પાત-વહાણ સમું છે તથા દુઃખરૂપી કાન્તારને સળગાવી મૂકવાને માટે દાવાનલ સમું છે, તે એક સમ્યગ્દન નામના રત્નના આશ્રય કરશ.” સ. ૩૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy