SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિરણે [૪૬૩ બુદ્ધિવાળા બનવું, એ સમ્યગ્દર્શન ગુણવાળા બનવા અને બની રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. દેવ-ગુરુ અને ધર્મ વિષેની વાસ્તવિક માન્યતા, એનેય સમ્યગ્ગદર્શન કહેવાય છે. કારણ કે તેમાં સઘળાંય તની વાસ્તવિક માન્યતાને સમાવેશ થઈ જાય છે. મૂળ વાત એ જ છે કે તત્વરુચિ એ સમ્યગ્ગદર્શન છે. અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તર પ્રત્યે રુચિ પ્રગટે એટલે માનવું કે સમ્યગ્દર્શન ગુણ આવે અગર આવશે. સમ્યગ્દર્શન એ રત્નદીપક છેઃ ' પ્રથમનાં પાંચ પરમેષ્ઠિ પદોમાં વિરાજતા શ્રી અરિહંતદેવેનું, શ્રી સિદ્ધપરમાત્માઓનું, શ્રી આચાર્ય ભગવાનનું, શ્રી ઉપાધ્યાય ભગવાનેનું અને શ્રી સાધુ ભગવાનેનું ધ્યાન ધરવાને ઉપદેશ આપ્યા પછી જેના વેગે પરમેષ્ઠિપદે પહોંચી શકાય છે, તે “સમ્યગ્દર્શન આદિ ચારેય પદોનું સ્વરૂપદર્શન કરાવવા સાથે, ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા “સમ્યગ્દર્શન રૂપ રત્નપ્રદીપને મને મંદિરમાં સદાને માટે ઘરવાને, “સમ્યગ જ્ઞાન ને શીખવાને, સચચારિત્ર”નું પરિપાલન કરવાને અને “સમ્યફતપ”ને આચરવાને ઉપદેશ આપે છે. તેમાં શ્રી સમ્યગદર્શન–પદને અંગે તે તારક ફરમાવે છે કે – - “હે ભવ્ય જ તમે સદાને માટે તમારા મનરૂપ ભુવનમાં, શ્રી સર્વજ્ઞ પરમાત્માઓથી પ્રણીત કરાયેલાં આગમમાં પ્રકટ કરેલા તત્વરૂપ અર્થોની સહૃદહણ, શ્રદ્ધારૂપ-દશનરૂપ પ્રદીપને, એટલે કેસમ્યક્ત્વરૂપ રત્નપ્રદીપને સ્થાપન કરે !” તમે જોઈ શકશે કે–ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા જેવા પણ શ્રી સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલ આગમાં પ્રગટ કરેલ તત્વરૂપ અર્થોની શ્રદ્ધાને “રત્નપ્રદીપ'ની ઉપમા આપીને, તે રત્નપ્રદીપને સદાને માટે મનરૂપ મંદિરમાં સ્થાપન કરવાને ઉપદેશ આપે છે. એ ઉપદેશને વિચાર કરતાં, તમે સ્વયં સમજી શકશે કે- એ દીપકના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy