SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનનાં પ્રકીર્ણ કિરણે [૪૫૫ વિરાગી, અપ્રશસ્ત કષાયને ત્યાગી, આત્મગુણેને અનુરાગી અને આત્મસ્વરૂપને પ્રગટાવનારી ક્રિયાઓ આચરવામાં અપ્રમાદી બનાવનાર ધર્મ, એ જ સાચે ધર્મ છે. વિષય–ષાયની વૃત્તિને જે ધર્મ પિષે, તેને તો સમ્યગ્દષ્ટિ આત્માઓ ધર્મ માને જ નહિ. સમ્યગ્દર્શનપૂર્વકનું ધમશ્રવણ: અનન્તઉપકારીઓ ફરમાવે છે કે–સમ્યગ્દર્શન ગુણ વિના શ્રી અરિહંતદેવનાં વચને ઉપર અવિહડ પ્રેમ જાગતું નથી. અને એ પ્રેમ જાગૃત થયા વિના, શ્રી જિનવચનનું શ્રવણ જે સ્વરૂપે થવું જોઈએ તે સ્વરૂપે થતું નથી. એગ્ય આત્માને શ્રી જિનવચનનું શ્રવણ સમ્યગ્દર્શન પમાડનારું થાય છે એ વાત સાચી છે, તેમ છતાં પણ સમ્યગ્દર્શન થયા પછી એ શ્રવણથી જે આનંદ થાય છે એ અજોડ હોય છે. શુશ્રષા એ તે સમ્યગ્દષ્ટિ આત્માનું પ્રથમ લિંગ છે. સમ્યગ્દર્શનને પામેલે આત્મા શ્રી જિનવાણુના શ્રવણમાં એ એકતાન બને છે કે–એ એકતાનતાના પ્રતાપે એ દિનપ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ ને આગળ વધતું જ જાય છે. સમ્યગ્દર્શનને પામેલે આત્મા, સદ્દગુરુ મુખે શ્રી જિનવચનનું શ્રવણ કરવું,” “ધર્મને અવિહડ રાગ” અને “દેવગુરુની વયાવચ્ચ” આ આદિ દ્વારા ચારિત્રમેહનીય સાથે સંગ્રામ ખેલે છે. ચારિત્રમેહનીય સાથે સંગ્રામ ખેલતા એ સમ્યગ્દષ્ટિ આત્માને દેવકનાં સુખે પણ તુચ્છ ભાસે છે. એ આત્માને શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક આજ્ઞા પ્રત્યે કાયમી બહુમાન હોય છે. શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા વિરતિધર્મ પ્રત્યે તેને રાગ એ બળવત્તર બની જાય છે કે–એ રાગના પ્રતાપે વિરતિ વિનાનું પિતાનું જીવન એ આત્મા માટે રસ વિનાનું બની જાય છે. સમ્યગ્દર્શનને હવામી આત્મા દેશવિરતિઘર બને છે, તે પણ સર્વવિરતિ લેવાની શક્તિના અભાવથી, પણ સર્વવિરતિની અનિચ્છાથી નહિ જ. સર્વવિરતિ ધર્મને પ્રાપ્ત કરવા માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy