SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સમઝશનનાં પ્રકીર્ણ કિરણ [ ૪૪૯ વીતરાગ બની જશે, અનન્તજ્ઞાની બની જશે અને તે પછી તે સર્વથા. ક્ષીણકમાં બનીને કેવળ સ્વ–સ્વરૂપમાં જ લીન બની જશે. અભવ્યાત્માઓના તેમ જ કેટલાક ભવ્યોના ગુણે પ્રગટતા જ નથી : આ પ્રકારે સર્વ સંસારી આત્માઓ આવરણમુક્ત બને જ છે, એમ પણ નથી. જેમ અનન્તા આત્માઓ આવરણરહિત બની જાય છે, તેમ અનન્તા આત્માઓનાં આવરણે જતાં નથી, એય ચોકકસ છે. દૂધ ભેંસનું પણ છે અને આકડાનું પણ છે. આકડાના દૂધમાંથી ઘી કદી થાય છે ? નહિ. આકડાનું દૂધ એય દૂધ કહેવાય છે, છતાં તેનું ઘી કેમ ન થાય ? કહેવું જ પડશે કે જે એને સ્વભાવ. “ તલમાંથી તેલ નીકળે પણ રેતીમાંથી તેલ કેમ ન નીકળે ?” રમે પ્રશ્ન જ ન હોય. જે વસ્તુને જે સ્વભાવ નહિ, તે તેનામાં લાવવાની કેઈની પણ તાકાત નથી. સ્વભાવથી શ્યામ વસ્ત્રને કઈ વેત કરી શકતું નથી. ભવ્ય આત્માને કેવળજ્ઞાન ગુણ પ્રગટ થઈ શકશે, પણ અભવ્ય આત્માને તે ગુણ કદી જ પ્રગટ થઈ શકશે નહિ. કારણ કે અભવ્ય આત્માને સ્વભાવ જ એવે છે. આકડાના દૂધમાંથી ઘી તે પ્રગટ થતું નથી, પણ તે દૂધ ખાવાના કામમાં ય આવતું નથી. એ રીતે કેટલાક એવા પણ આત્માઓ છે કે, જે આત્માઓમાં પૂર્ણ ગુણ કેઈ કાળે પ્રગટ જ નહિ થાય. માત્ર અભવ્ય આત્માઓના જ ગુણો પ્રગટ થતા નથી એવું નથી, પણ કેટલાક ભવ્ય આત્માઓના ગુણે પણ પ્રગટ થતા નથી. જેટલા ભવ્ય છે તેટલા સઘળાય- પિતાના સ્વરૂપને નિયમ પામી શકવાના જ છે, એમ કહેવાય નહિ. “પિતાના સ્વરૂપને પામે તે ભવ્ય ” એવો નિયમ ખરો, પણ ભવ્ય હોય એ બધાં . પિતાના સ્વરૂપને પામે જ એ નિયમ નહિ, ઘી થવાને લાયક સઘળાય દૂધનું ઘી થાય જ છે, એમ બનતું નથી, કારણ કે ધને - ઘી બનવા માટે સામગ્રી જોઈએ છે. સામગ્રી હોવા છતાં પણ, જે સ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy