SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિદા [ ૪૪૭ માણસનું મૃત્યુ થાય છે, એટલે આત્મા મરતા નથી, પણ તે શરીરમાં રહેલેા આત્મા, કર્મ રૂપ અજીવનુ ખેંચાણ થવાના ચેાગે અન્ય જન્મમાં ચાલ્યા જાય છે, અને કર્રરહિત બનેલા આત્માએ મૃત્યુ પામીને સિદ્ધ દશાને પામતાં શરીરના સંબંધ સપૂર્ણ પણે છેડી અજન્મા ની જાય છે. આત્માને કાળથી સ્વભાવ અનાદિ. આવરાયેલા છે ઃ આત્મા અનાદિથી છે,તેમ આત્માના ગુણા પણ અનાદિથી છે,આત્મા જેમ કેાઈ કાળે મૃત્યુ પામતા નથી, તેમ આત્માના ગુણા પણ કોઈ કાળે નાશ પામતા નથી. આમ છતાં પણુ, આત્મા, કર્મ રૂપ અજીવના ચેાગે જેમ એક જન્મમાંથી બીજા જન્મમાં અને બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં એમ અનેક જન્મામાં ફર્યા કરે છે, અને એથી જન્મ પામતા અને મૃત્યુ પામતા લાગે છે, તેમ કમ રૂપ અજીવના આવરણના ચૈાગે આત્માના ગુણા પણ વધુ-ઓછા પ્રમાણમાં ખાયા કરે અને પ્રકાશિત થયા કરે એવું ચાલ્યા કરે છે. આ રીતે આત્માના સ્વભાવ અનાદિકાળથી આવરાયેલા છે. આત્મા અને કર્મ-એ એના ચેગને પણ અનાદિના માન્યા વિના કોઈ પણ તત્ત્વની સાચી અને સુમેળવાળી વ્યવસ્થા થઈ શકતી નથી. આત્મા ભલે આંખે દેખાતા ન હોય; બાહ્ય રીતે ખ્યાલમાં આવતા ન હોય, છતાં પણુ આ જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેના જો વિવેકથી વિચાર કરવામાં આવે તે આત્મા છે અને તેના ગુણા કર્મના આવરણથી અનાદ્દિકાળથી આવરાયેલા છે.’–એ વાતની પૂરી પ્રતીતિ થયા વિના રહે તેમ નથી. " Jain Educationa International આજે તા તત્ત્વવિચારણા લગભગ નષ્ટ થઈ ગઈ છે, એટલે તદ્ન સામાન્ય વાતા પણ નવીન જેવી લાગે છે. આત્માના વિચાર જ પ્રાયઃ કરાતા નથી, એવો આત્માની વાતા નવી લાગે તેમાં નવાઈ નથી; પણ જેઓ આત્માના વિચાર કરતા નથી, તેઓ પોતાના આ ઘણા 20 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy