SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૬૯ ભક્તને ભગવાનને ભક્ત જે માગે તે આપવાનું મન થાય, એમાં ય આશ્ચર્ય પામવા જેવું નથી ! પણ ભગવાનની ભક્તિને જોઈ ને તુષ્ટ થયેલે ભગવાનનો ભક્ત માગવાનું કહે અને ભગવાનની ભક્તિ કરનાર ભગવાનને ભક્ત માગે, તે એમાં ભગવાનની ભક્તિ કરનારની ભગવાન પ્રત્યેની ભક્તિનો અપકર્ષ થાય અને ભગવાનની ભક્તિ જોઈને ભગવાનના ભક્તને માગવાનું કહેનારની ભગવાન પ્રત્યેની ભક્તિને ઉત્કર્ષ થાય !” ભક્તિને દે કરવા તૈયાર નથી ? આવા અવસરે આવા આવા વિચાર કરવાનું કોને સૂઝે? આવી સરસ તક માગી મળે નહિ. આવી સારી તક મેળવવા મધ્યે પણ મળે નહિ. અણધારી આપવી તક સાંપડી ગઈ છે અને રાવણને કશી જ જરૂર નથી એવું પણ નથી. હજુ તે રાવણના હૈયામાં દિગ્યાત્રા કરવાને મને રથ બેઠેલો જ છે અને બીજા પણ ઘણું મને રથ હૈયે છે. અવિરતિને ઉદય વર્તી રહ્યો છે ને ? એવી સ્થિતિમાં પણ રાવણ ભગવાનની ભક્તિને સદો કરવા તૈયાર નથી. મારે જે જીતવું છે તે બધું તમે છતાડી દો, એવું કહેવાને માટે રાવણ પાસે જીભ નથી એમ નહિ, પણ એવું કહેવાને માટે રાવણ પાસે હૈયું નથી. ધરણેન્દ્રને જવાબ આપતાં રાવણ કહે છે કે-નાગેન્દ્ર! દેવાધિદેવના ગુણેની સ્તવનાથી તમે તુષ્ટ થયા એ ગ્ય જ છે. તમારો આ તેષ, એ તમારા હૈયામાં દેવાધિદેવ પ્રત્યે જે ભક્તિ છે, તેનું પ્રતીક છે. બીજી વાત એ છે કે–દેવાધિદેવની મેં કરેલી ભકિતને જોઈને તમે મને માગું તે આપવાને જે તયાર થયા છે, તેથી તમારી દેવાધિદેવ પ્રત્યેની ભકિત પ્રકર્ષને પામે છે, પણ હું જે કાંઈ ગ્રહણ કર્યું છે તેથી દેવાધિદેવ પ્રત્યેની મારી જે ભકિત, તે તે ભારે અપકર્ષને જ પામે !” . . . . . રાવણે આવી રીતે માગવાને ઈન્કાર કરી દીધા, એને ભાવ સ. ૨૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy