SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ] સમ્યગ્રંદન-૧ તા, કેવા જ્ઞાની ઉપર શ્રદ્ધા રાખી શકાય? જેના ઉપર શ્રદ્ધા કરવી હાય, તે વ્યક્તિ કેવી હોવી જોઇએ ? ખરેખર, તે વ્યક્તિ એવી જ હાવી જોઈએ, કે જે વ્યક્તિથી અસત્ય વચન ઉચ્ચારાવું, એ શકય જ ન હોય; એટલે એ વ્યકિત અસત્ય વચનેાચારણનાં જેટલાં કારણેા, તે સર્વ કારણેાથી સથા પર હાવી જોઈએ. જેનામાં રાગ અને દ્વેષ હાય તે અસત્ય પણ ખેલે, એવુ મને ને ? રાગને વશ બનેલે જવ અથવા તે દ્વેષને વશ બનેલે જીવ, ગમે તેવા સત્યને પણ એળવે, તે એ સવિત ગણાય, પણ તે અસંભવિત . ગણાય નહિ. જીવ રાગને કે દ્વેષને વશ બનેલેા ન હાય અને તેની ઇચ્છા પણ અસત્ય ખેલવાની ન હેાય, છતાં પણ એ જીવ જો અજ્ઞાન હોય, તા એના વચનમાં એના અજ્ઞાન રૂપ દોષના કારણે પણ અસત્ય આવી જવું, એ સંભિવત જ છે. એટલે વસ્તુતઃ તે તેમનું જ વચન એકાન્તે શ્રદ્ધેય ગણાય, કે જે રાગથી પણ સવ થા મુક્ત મનેલા હાય, દ્વેષથી પણ સવથા મુક્ત બનેલા હાય અને અજ્ઞાનથી પણ સર્વથા મુક્ત બનેલા હાય. અર્થાત્-જેમણે શ્રી વીતરાગપણાને અને સનપણાને પ્રાપ્ત કર્યું... હેાય, તેએ જ સ્વતન્ત્રપણે તવાને અને તત્ત્વાના સ્વરૂપને ચથા રૂપે જાણી–જણાવી શકે છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલાઓએ ક્માવેલું અથવા તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલાનાં વચનાને જ અવલમ્બીને ખેલનારાઓએ ફરમાવેલું તત્ત્વસ્વરૂપ યથા હોઈ શકે અને એથી જેમણે શુદ્ધ આસ્તિયને પોતાનું બનાવવું હોય, તેમણે શ્રી વીતરાગ અને સત્ત બનેલા ભગવન્તાએ ફરમાવેલા તત્ત્વસ્વરૂપને વિષે આસ્થાવાળા મની જવુ જોઈ એ. એવી આસ્થાવાળા બની જવુ. જોઈએ કે તત્ત્વસ્વરૂપ એવું જ છે, કે જેવું શ્રી વીતરાગ અને સજ્ઞ ભગવન્તાએ ફરમાવેલુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy