SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદશનને સૂર્યોદય [૨૬ હોઈ શકે પણ નહિ; કેમ કે-જાણેલાને આચરણમાં ઉતારવાને માટે તે, બીજી પણ બહુવિધ સામગ્રીની અપેક્ષા રહે છે; પણ, મેક્ષની રુચિવાળાને મેક્ષને ઉપાય જેમ જેમ જાણવામાં આવે, તેમ તેમ તેને તે ઉપાયને આચરવાને અભિલાષ તે થયા જ કરે. પહેલાં એમ થાય કે-“આ જ આચરવા લાયક છે અને આનાથી વિપરીત જે કાંઈ છે, તે આચરવા લાયક નથી.” પછી વિચાર આવે કે-“પણ અત્યારે હું જે આચરવા લાયક નથી તેને આચરવાનું છોડી શકું તેમ છું? અને, જે આચરવા લાયક છે, તેને અત્યારે હું આચરી શકું તેમ છું?” એમાંથી નિર્ણય થાય કે છોડવા લાયક બધાને તે હું છોડી શકું તેમ નથી અને આચરવા લાયક બધાને હું આચરી શકું તેમ પણ નથી, તે મારાથી જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં હું છોડવા લાયક છે અને આચરવા લાયકને આચરું !” અને એ નિર્ણય કરીને, જીવ, એવા પ્રયત્નમાં લાગી પણ જાય. આ રીતે જીવે જે થોડું પણ છોડવા લાયકને છેડયું હોય અને આચરવા લાયકને આચરવા માંડયું હોય, તેમાં પણ એ જીવ વારંવાર એ જ દષ્ટિ રાખ્યા કરે કે–મારા આ વલણના ગે, મને એવી અનુકૂળતા આવી મળે, કે જે અનુકુળતા આવી મળતાં, હું છોડવા લાયક સર્વને સર્વથા છેડનાર અને આચરવા લાયક સર્વને એકાતે આચરનાર બની જાઉં ! ” કર્મગ્રંથિને ભેદવાની બાબતમાં અને અપૂર્વકરણની બાબતમાં ત્રણ વાતાને નિર્ણયઃ ધર્મશ્રવણ જે એવા પ્રકારનું હોય, તે એથી પરિણામની ઉત્તરોત્તર શુદ્ધિ થયા કરે એ સુસંભવિત જ છે; અને, આવા પ્રકારના ધર્મશ્રવણના યોગે જીવ અપૂર્વકરણને પણ પામી જાય; એય ખૂબ જ સંભવિત છે. તમારું ધર્મશ્રવણ આવા પ્રકારનું છે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy