SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] સમ્યગ્દશન-૧ ઈચ્છા, મેક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઈચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કેઈ આશયથી એ ઈચ્છા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિતાનું થોડુંક પણ સાચું ભાન થવાથી, તમને સંસાર પ્રત્યે અરુચિને ભાવ પ્રગટો છે; સંસાર પ્રત્યે અરુચિને ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એ જે મેક્ષિતે મને મળે તે સારું, એવી મેક્ષની રુચિ થઈ છે અને એથી તમે, તમારી એ રુચિને સંતોષવાને માટે સંસારથી છેડાવનારા અને મેક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઈચછાવાળા બન્યા છે; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવે છે, એવું જે હું માનું અથવા તો એવું જે કઈ માને, તે તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે–તમારે મેક્ષના ઉપાયને આચરવે છે અને એથી તમારે મેક્ષના ઉપાયને જાણ છે, એ કારણે તમે અહીં ધર્મશ્રવણ કરવાને માટે આવે છે ? કે, બીજા કેઈ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવે છે ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવે છે, તેમાં તે તમારે મેક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઈ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઈ શકે અને ગતાનગતિકપણે તમે આવતા હે–એવું પણ હોઈ શકે. - ધર્મશ્રવણનું પરિણામ કેવું હોય? - મેક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઈચ્છામાં, એ ઉપાયને યથાશક્ય આચરવાની ઈચ્છા પણ રહેલી જ હોય છે. એટલે, તમે જેમ જેમ જાણુતા જાવ, તેમ તેમ તમે તમારા મેક્ષને માટે તેને આચરવાને વિચાર અને પ્રયત્ન આદિ પણ કરતા જ હશે ને ? જેને જેને જેટલું જેટલું જાણવાને મળે; તે તે તેટલું તેટલું આચરી જ શકે–એ નિયમ છે નહિ અને એ નિયમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy