SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૨૦૫ અત્યાર સુધી આ જીવ સંસારના સુખના રાગ ઉપર અને સંસારના દુઃખના દ્વેષ ઉપર મુસ્તાક રહ્યો છે. એ રાગમાં અને એ દ્વેષમાં જ મારું કલ્યાણ, એમ આ જીવે માનેલું છે. પણ હવે એને સમજાય છે કે–એ રાગ અને એ દ્વેષ એ જ મારા ખરેખરા શત્રુ છે. એ રાગે ને એ શ્રેષે મને મારા સ્વરૂપનું ભાન પણ થવા દીધું નથી. અનાદિકાળથી અત્યાર સુધીના અનન્તાનન્ત પુદગલ પરાવર્તકાળ સુધી મને એ રાગે અને એ છે જ સંસારમાં ભટકાવ્યા. એ રાગથી અને એ શ્રેષથી હું છૂટું તે જ મારી મુક્તિ થાય. માટે હવે કોઈ પણ રીતે એ રાગ પણ નહિ જોઈએ અને એ શ્રેષ પણ નહિ જોઈએ. આ ભયંકર સંસારથી છૂટવાને ઉપાય એ જ છે કે–એ રાગથી ને એ શ્રેષથી હું સર્વથા મુક્ત બનું. આ નિર્ણય જીવને થાય, એ શું છે? સંસારના સુખના રાગ ઉપરનો અને એ. રાગે જન્માવેલા દુઃખના દ્વેષ ઉપરને દ્રષ છે. એ રાગ અને એ વૈષ ઉપરના આવા પ્રકારના શ્રેષના ચિન્તનાદિમાંથી આત્મામાં એ રાગ-દ્વેષને તેડી નાખવાને જે અપૂર્વ પરિણામ પ્રગટે, તે અપૂર્વકરણ કહેવાય છે, અને, એ અપૂર્વકરણથી ગાઢ રાગ-દ્વેષની ગાંઠ ભદાઈ ગયા વિના રહેતી નથી. તમને લાગે છે કે–સંસારના સુખ ઉપરના રાગે અને એ રાગે જન્માવેલા દુઃખના ઢષે આત્માનું ઘણું ઘણું બગાડ્યું છે? એ રાગ-દ્વેષ ભૂંડા લાગે એટલે અપૂર્વકરણ સહેલાઈથી પ્રગટી શકે. અપૂર્વકરણ રૂપ મુદ્દગર : આ અપૂર્વકરણને મહાત્માઓએ મુદ્દગર જે પણ કહ્યો છે. ભગવાન શ્રી ઋષભદેવજીનું પેલું સ્તવન યાદ છે? “સમકિત દ્વાર ગભારે પેસતાં ...” એ સ્તવનમાં પણ કેટકેટલી વાત કહી છે? “પાપ પડલ થયાં દૂર રે.” વગેરે કહ્યું છે ને? સમ્યકત્વના દ્વારમાં પેસવા માટે પાપનાં પડેલ દૂર થવાં જોઈએ અને પાપનાં પડેલ દૂર થાય ત્યારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy