SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] સમ્યગુદન-૧ ઈભવાહન નામના રાજાની મને રમા નામની પુત્રી સાથે પરણવાને માટે મેકલ્યા છે. રાજ્યના રિવાજ મુજબ ભારે મહેસવપૂર્વક તેમનું લગ્ન થાય છે અને તે પછી મને રમાની સાથે રાજકુમાર વજુબાહુ પિતાના નગર તરફ પાછા ફરે છે. ઉદયસુન્દર નામને રાજકુમાર, કે જે શ્રી વજુબાહુને સાળો થાય છે, તે પણ ભક્તિવશ સાથે ચાલે છે. સાથે બીજા પણ પચીસ રાજકુમારે છે અને બનેય રાજ્યને મેટે પરિવાર પણ છે. માર્ગ કાપતાં કાપતાં તેઓ વસંત નામના પર્વત પાસે આવી પહોંચે છે. એ પહાડ ઉપર ગુણસાગર નામના એક મહામુનિ તપ તપી રહ્યા હતા. તપનું ભારે તેજ તે મહાત્માના મુખ ઉપર વિલસી રહ્યું હતું. સૂર્ય સામે ઊંચી આંખ રાખીને, એ મહાત્મા આતાપના લઈ રહ્યા હતા. શ્રી વજાબાહુએ રથમાં બેઠે બેઠે પહાડ ઉપર રહેલા એ મહાત્માને જોયા અને એથી, મેઘાડમ્બરને જોઈને મયૂરનું હંચું જેમ નાચી ઊઠે, તેમ તેમનું હૈયું પણ હર્ષના પ્રકર્ષથી નાચી ઊઠયું. તરત જ તેમણે રથના ઘડાની લગામ પકડી લીધી અને ઉદયસુન્દરને કહ્યું કે-રથ ભાવે. જુઓ, કેઈક મહાત્મા આ પહાડ ઉપર તપ તપી રહ્યા છે. મારે તેમને વાંદવા છે. મારું મહાભાગ્ય કે–અહીં આવા મહામુનિનું મને દર્શન થયું !” રથમાં શ્રી વજુબાહુ અને મનેરમાં બેઠાં છે. ઉદયસુન્દર રથ હાંકે છે. ઉદયસુન્દરને શ્રી વજુબાહુનું કથન સાંભળીને મશ્કરી કરવાનું મન થાય છે. શ્રી વજુબાહુ સમજે છે કે-માર્ગે જતાં મહાત્મા નજરે પડે અને એમને વન્દન કર્યા વિના આપણે જઈએ, તે આશાતના લાગેજ્યારે ઉદયસુન્દરને એમ થાય છે કે-“તાજા પરણીને જતા કુમારને આ વખતે આ કેવું મન થાય છે?” એટલે ઉદયસુન્દર મશ્કરીમાં શ્રી વજાબાહુને પૂછે છે કે-“શું કુમાર ! દીક્ષા ગ્રહણ કરવાનું મન થઈ ગયું છે?” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy