SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગશનની ભૂમિકા [૧૮૩ સારનાર ધર્મ જ છે. અરે, સંસારના ભાઈ માતા, પિતા વગેરે પણ આપણી જે ખબર લે છે, તે ધર્મને જ પ્રતાપ છે. ધર્મ ન રહ્યો તે પિતા, માતા, ભાઈ કે પત્ની વગેરેમાંથી કઈ ખબર લેશે નહિ. ધર્મ પુણ્ય રૂપે ઉદયમાં હશે, તે જ સગા સગા થશે ને મિત્ર મિત્ર રહેશે. છેકરો તમને મરતાંય બાપા કહે, ખબર પૂછે, તે એ ધર્મને પ્રતાપ છે. એ ઘર્મને દુનિયાની સામગ્રી માટે કે સગા વગેરે માટે છેડાય? દુનિયાની કોઈ સામગ્રી કે કઈ સગા-સંબંધી જે કાળમાં કામ લાગે નહિ, તે કાળમાં પણ ધમ હોય તે તે કામ લાગે. એ શાતાય ઉપજાવી શકે અને અશાતાના ઉદયમાં એ સમાધિમાં રાખી શકે. માટે હુંફ તે ધર્મની જ જોઈએ ને? ધર્મની રુચિ પ્રગટે અને સમજ વધે તે સમજાય કે-આપણે ધર્મ જ આપણને બધા સંગથી છેડાવીને, અસંગપણનું અનુપમ સુખ પમાડે ! સંસારના સુખ ઉપરથી જીવની આંખ ઊઠી હેવાનું ક્યારે કહેવાય ? એટલે જ આપણે એ વાત કરી રહ્યા છીએ કે-જ્યાં સુધી સુખમય એવા પણ સંસાર ઉપરથી જીવની આંખ ઊઠે નહિ, ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે નહિ. આંખ ઊઠવી એટલે શું ? આ સુખ ગમે તેટલું મળે, ગમે તેટલા પ્રમાણમાં મળે, પણ જીવનું સરવાળે ભલું આનાથી થાય શી રીતે ? આ સુખ કાયમનું તે છે નહિ. કાં એ જાય ને કાં મારે એને મૂકીને જવું પડે. અને, આ સુખ મેળવતાં, ભેગવતાં, સાચવવા મથતાં, જે જે હિંસાદિક પાપે થાય, તેનું ફળ જીવને ભેગવવું જ પડે. પાપનું ફળ દુઃખ, એટલે આ સુખના ભોગવટામાં ભૂલ્યા તે દુખી થવાના એ નકકી વાત. આ જન્મમાં સુખ ને આવતા જન્મમાં દુઃખ, એવુંય બને. આમ જીવ ભટક્યા કરે ને સુખને માટે વલખાં માર્યા કરે, એને બદલે એવું કરવું જોઈએ, કે જેથી ભટકવાનું જ બંધ થઈ જાય. જીવ જે આવા વિચારમાં આવે, તે સંસારના સુખ ઉપરથી એની આંખ ઊઠી કહેવાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy