SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૦ ] સમ્યગ્દર્શન-૧ પણ રાજાના મનમાં એમ તે થઈ જ ગયું છે કે–મંત્રીકવરને પૂજા કરતા જેવા છે. આથી, તે એક જાણુતા માણસે બતાવેલા માગે, શ્રી પેથડશા મંત્રીકવર જ્યાં ભગવાનની પૂજામાં લીન બન્યા હતા, ત્યાં જાય છે. મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા જોઈને રાજાય આનન્દ પામે છે. લાગે છે ને કે-રાજાય ધર્મવૃત્તિવાળે છે ? ધર્મની વાત આવે એટલે સારો રાજા પણ પ્રસન્ન થાય, એ આ દેશ હતો. મંત્રીશ્વરની પાછળ બેઠેલે માણસ મંત્રીશ્વરને કમસર પુષ્પ આપતે જાય છે અને મંત્રીશ્વર ભગવાનની અંગરચના કરતા જાય છે. રાજાને મન થઈ જાય છે કે હું પણ આ પૂજામાં મંત્રીશ્વરને સહાયક બનું! આથી રાજા ઈશારે કરીને મંત્રીવરને પુષ્પ આપનારા - માણસને ખસેડીને, પિતે એની જગ્યાએ બેસી જાય છે અને એક પછી એક પુષ્પ આપવા માંડે છે. જે માટે રાજા અહીં સુધી આ હતે, એ વાત તે મંત્રીશ્વરને પૂજામાં લીન જેઈને ભુલાઈ ગઈ ને ! રાજા મંત્રીશ્વરને પુષ્પ આપે જાય છે, પણ કયા કમે કયું પુષ્પ આપવું જોઈએ, એની રાજાને ખબર ન હતી. એટલે રાજાથી ભૂલ થઈ જાય છે. જે પુષ્પ આપવું જોઈએ તે પુષ્પ અપાતું નથી એને બદલે અન્ય પુષ્પ અપાઈ જાય છે. એક વાર આવું બન્યું તેય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. હાય, માણસની ભૂલ થઈ જાય એમ માન્યું. પણ વારંવાર એમ બનવા લાગ્યું, એટલે જાતે જ જોઈતું પુષ્પ લેવાને માટે મંત્રીશ્વરે મેં ફેરવ્યું. દેવપૂજામાં બેઠેલા મંત્રીશ્વર, પિતાને માણસ વારંવાર ભૂલ કરે છે એમ જાણવા છતાંય કેપ પામ્યા નહિ અને શાન્ત જ રહ્યા, 'એ ઓછી વાત છે ? મંત્રીશ્વરની જગ્યાએ તમે હે તે એ વખતે તમારું મન પૂજામાં મગ્ન રહે કે ગુસ્સાને આધીન બને ? શ્રી જિનમન્દિરમાં કેટલીક વાર પૂજા કરનારાઓમાં કેવી લાચાલી થાય છે? કેટલાક શ્રીમતિ પૂજા કરતાં કરતાં પણ બીજાઓને અને પૂજારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy