SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ - : , . ૧૧૪૮ ] સમ્યગુદન-૧ કે–આ જ મેટામાં મટી શ્રીમંતાઈ છે. જેને બોધિની સંપ્રાપ્તિ થઈ ગઈ છે અને એને લઈને જેનામાં નિર્મમભાવ પેદા થઈ ગયો છે, તેના જે જગતમાં બીજે કઈ સુખી નથી! , સમ્યગ્દષ્ટિ આત્માએ સમ્યગ્દર્શનને પામતાં પહેલાં આયુષ્ય . બાંધી લીધું હેય, અને એથી એ નરકમાં હોય, તે ત્યાં એને જેટલું પાપ ડંખે છે તેટલું દુખ ડંખતું નથી. શરીરાદિના દુઃખ કરતાં ય એને મનનું દુઃખ ઘણું હોય છે. શરીરાદિના દુઃખ માટે તે એ સમજે કે-મારાં કરેલાં પાપનું પરિણામ માટે ભેગવવું પડે એમાં નવાઈ નથી. પણ મનમાં એને એ વાતનું દુઃખ હોય છે કેમેં આવાં આવાં દુષ્કર્મો કર્યા? હું આ પાપી?” સમ્યગ્દષ્ટિ જીવ દેવકને પામ્યા હોય અને સ્વર્ગમાં સમ્પત્તિ ઘણી હેય, પણ એના મનમાં શું હોય ? આમાનું કાંઈ મારું નથી ! એનો વિરાગ એવી મેટી સુખસંપત્તિ વચ્ચે પણ જીવતે ને જાગતે હય, કેમ કેમેક્ષમાર્ગની આરાધના એ જ એનું લક્ષ્ય છે. સંસારની સુખસંપત્તિનું એને મન ઝાઝું મહત્વ નથી, મેક્ષનું જ એને મન ખરેખરું મહત્વ છે. કેમ કે–એ સમ્યગદષ્ટિ છે. તમે સમ્યગ્દષ્ટિ છે કે તમારે સમ્યગ્દષ્ટિ બનવું છે? સુખી થવું કે દુઃખી થવું, એ આપણે જ હાથની વાત છે, એમ લાગે છે ને? સુખી થવાને માટે સમ્યગ્દષ્ટિ બનવું એ જરૂરી છે, એમ પણ લાગે છે ને? ધર્મથી રહિત બની ચકવર્તિપણુંએ નથી જોઈતું અને ધર્મથી સહિતપણે દાસ ને દરિદ્ર બનવું ય મજૂર છે ? • પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જેને સમ્યગ્દશન ગુણને " આસ્વાદ આવે છે, તેની દુન્યવી સુખસંપત્તિની ઈચ્છા નાશ પામી જાય છે અને એક માત્ર મુકિતમાર્ગની આરાધનાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy