SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] સમ્યગદશન-૧ એ પ્રશ્ન ઉપસ્થિત થવે એ અસંભવિત નથી કે–ચરમાવકાળને પામેલા જ મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ હોય, પણ તેઓ છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા શ્રી સિદ્ધિપદને પામવાના છે, તે પછી તે જીવોને યથાવિધિ ધર્મોપદેશની જરૂર શી છે?” આવા પ્રશ્નને જાણે કે-ખુલાસે જ આપતા હોય તેમ પરમ ઉપકારી સહસાવધાની આચાર્યદેવ શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં ફરમાવ્યું કે–શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ છે શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. જે ભવ્યાતમાએ શ્રી સિદ્ધિપદને પામે છે, તેઓ શ્રી સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રીને પ્રાપ્ત કરીને જ શ્રી સિદ્ધિપદને પામે છે. આમ જણાવીને શ્રી સિદ્ધિપદને પમાડનારી સામગ્રી કયી છે? તેને વાંચકોને ખ્યાલ આપવાને માટે પરમ ઉપકારી ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, અને શ્રદ્ધા આદિ છે લક્ષણ જેનું એવી એ સામગ્રી છે અને એ સામગ્રીમાં પણ ધર્મશ્રદ્ધા એ વિશેષ કરીને સુદુષ્પાપ છે. કે આર્યદેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યપણાની પ્રાપ્તિ થવા છતાં પણ સદ્દગુરુઓને વેગ પ્રાપ્ત થ અને સદગુરુઓને યોગ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મશ્રવણ થવું એ બધું આ જીવને માટે અતિ દુર્લભ જ છે, પણ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થવી એ તે એથીયે અતિશય દુર્લભ છે, કારણ કે મનુષ્યપણાથી માંડીને ધર્મશ્રવણ સુધીની સામગ્રી તે અભવ્ય જીને તેમજ દુર્ભવ્ય જીને પણ થઈ શકે છે, પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તે માત્ર ભવ્યાત્માને જ થઈ શકે છે અને તે પણ તે જ ભવ્યાત્માઓને થઈ શકે છે કે જેઓને સંસારકાળ એક પુદ્ગલ પરાવર્ત જેટલા કાળથી તે અધિક ન જ હોય. એ વાત નિશ્ચિત છે કે–એક્ષને અભિલાષ માત્ર ભવ્ય જીવમાં જ પ્રગટી શકે છે અને તે પણ તેવા જ ભવ્ય જેમાં મોક્ષને અભિલાષ પ્રગટી શકે છે કે જે ભવ્ય જીવે છેવટમાં છેવટ એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy