SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૨૧ કે-જે જડની અસર આત્માને થતી જ નથી તે પછી પુણ્યથી ડરવાનું કારણ શું છે ? પુણ્ય તે જડ છે અને જડ એવા પુણ્યમાં આત્માને સંસારમાં રઝળાવવાની તાકાત ક્યાંથી હોય? પુણ્ય જડ હોવા છતાં પણ જે તેની આત્મા ઉપર અસર થાય છે તે પછી પાપની અસર પણ થાય ને ? તમે ધર્મકિયાઓને તજી પછી બાકી તે પાકિયાએ જ રહી ને? એના જવાબમાં એ લે કે એમ કહે છે કે–એ કિયાએ અમે એવી રીતે કરીએ છીએ કે–આત્મા બંધાય નહિ. તે પ્રશ્ન એ છે કે–એવી રીતે ધર્મક્રિયાઓને કરવાનું ચાલુ કેમ રાખ્યું નહિ ? આવી તે અનેક વાતે છે. નિશ્ચયનયની વાત જે રૂપે સમજાવી જોઈએ તે રૂપે સમજાઈ નથી અને તેને બેટી રીતે આગ્રહ થઈ ગયો છે. મિથ્યાત્વને એવો ઉદય થઈ ગયો કે પોતાના જે કઈ સમજુ જ નથી એમ તે માને છે અને અનેક પાપક્રિયાઓમાં રક્ત બનેલું જગત્ જે ડીઘણી ધર્મક્રિયા કરતું હતું તેને પણ તે નિષેધ કરે છે. ખૂબી તે એ છે કે આવા આત્માઓ પિતાને સમ્યગ્દર્શનના સ્વામી માને છે અને બીજાઓની પાસે તેવું મનાવવાને તેમને પ્રયત્ન પણ ચાલુ છે. મહારાજાનું આ પણ એક નાટક છે કે–જેમાં રાંકડાઓ પિતાને રાજા માનવાની અને મનાવવાની મૂર્ખાઈ કરી રહ્યા છે. ધર્મક્રિયાઓ પ્રત્યે જ ઠેષ : આવા આત્માઓની દશા પણ ઘણી જ દયાપાત્ર છે. તેઓ પિતાની બેટી વાતના આગ્રહમાં એવા પડી ગયા છે કે બીજાની વાતને વિવેકપૂર્વક વિચારવા પણ તેઓ તૈયાર નથી હોતા. વિવેકપૂર્વક વિચાર કરે તે તેને ખ્યાલ આવે કે તેઓ સમ્યગ્દષ્ટિ તે નથી પણ સમ્યગ્દર્શનાદિને પમાડનાર જે બીજ છે તે પણ તેઓમાં નથી, કારણ કે–તેઓને ધર્માચરણ કરનાર આત્માઓને જોઈને આનંદ તે થતું જ નથી અને “આ ધર્મક્રિયાઓ કરવા લાયક નથી” એવી પાપબુદ્ધિ પણ તેઓમાં જાગે છે. જે આત્માઓ સમ્યગ્દર્શનને પામવાની ઈચ્છાવાળા હેય તેઓએ તે તારણહાર તીર્થભૂમિઓ, નાનાં ગામને પણ નગરની ઉપમા પમાડનારાં તારણહાર શ્રી જિનમંદિર અને તીર્થભૂમિઓને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy