SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક વિના ધર્મપ્રાપ્તિ નથી : . સામાન્યજનેની વાત તો દૂર રહી, પણ કેટલાક ધર્માચાર્ય ગણતાએ પણ મધ્યસ્થતાના નામે ઉભાગને પષનારા બની જતા જોવાય છે. વાસ્તવિક રીતિએ માગને નહીં પામેલા, પામવા છતાં પણ હારી ગયેલા અથવા કારમી મહત્વાકાંક્ષાથી રીબાતા ધર્માચાર્યો પણ, સત્યના ખૂનમાં અને અસત્યના પ્રચારમાં મધ્યસ્થપણુના નામે સહાયક થાય છે. તે પછી બિચારા ગાઢ મિથ્યાત્વના ઉદયથી રીબાતાઓ મધ્યસ્થતાના નામે આત્માને સદ્દધર્મથી વંચિત રાખે, એમાં આશ્ચર્ય જેવું શું છે ? સમજુ ગણાતા આત્માઓ સાચા-ખોટામાં મધ્યસ્થપણું તે જ ધરી શકે, કે જે તેઓ સત્ય કરતાંય પિતાની જાતને કિંમતી માનતા હોય. આથી સ્પષ્ટ છે કે–મધ્યસ્થપણું એ ગુણ છે, પણ તે જાતના પૂજારીઓ માટે કે ગાઢ મિથ્યાદષ્ટિએ માટે નહિ જ. કારણ કે એવાઓ માટે તે એ પણ દોષરૂપ બની જાય છે. આ જ એક હેતુથી આચાર્યભગવાન શ્રી અકલંકસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે સત્ય અને અસત્ય તથા “સુ” અને “કુરને વિવેક કરવાની શક્તિ વિનાને આત્મા પણ શ્રી જિનધર્મને પામતે નથી.” " એવા વિવેકની પ્રાપ્તિ માટે દર્શન અને જ્ઞાનના આવરણના ક્ષયોપશમ સાથે દર્શન મેહનીયના ક્ષયે પશમની અતિશય જરૂર છે. * જેન- પ્રવચન, વર્ષ ૨૮, અંક ૪૩; પત્ર ૩૪૦ થી૩૪૩ - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy