SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] સમ્યગદશન-૧ તે યથાર્થ જ છે. જે કઈ આત્માઓએ સંશય આદિથી બચવું હોય અને માર્ગમાં સુસ્થિર રહેવું હોય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનની પ્રમાણિકતાને અંગેની વાતનું તે એવું રટણ કરી લેવું જોઈએ કે—કોઈ પણ સંગોમાં, એ વાત યાદ આવ્યા વિના રહે નહિ; અને ગમે તેવા આવેશમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવેના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામ્યું, એટલે સાંશયિક મિથ્યાત્વ આપ્યું જ સમજો. જ્યાં સુધી શ્રી જિનવચનની પ્રમાણિકતાને અંગે સંશય પેદા થયે નથી, ત્યાં સુધી શાસ્ત્રના વર્ણવેલા અર્થને અંગે સંશય ઉત્પન થવા પામ્યું હોય, તોય સશયિક મિથ્યાત્વ આવ્યું, એમ કહેવાય નહિ. શ્રી જિનવચનની પ્રમાણિતાની બાબતમાં સંશય પેદા થ, એ જ સશયિક મિથ્યાત્વ છે. પોતાની અક્કલહોંશિયારી અને સમજશક્તિની ખુમારીમાં ચઢી ગયેલા સમ્યગ્દષ્ટિ, આ મિથ્યાત્વને સ્વામી બની જાય, એ સુશકચ છે. એક વાત સમજાય નહિ, એટલે શંકા પેદા થાય અને પછી એ વિચાર કરે કે-“ભગવાને આમ કહ્યું છે, પણ આ આમ ઘટે જ કેમ ? –તે મિથ્યાવને લેવા જવું પડે કે આવી જ જાય? અથવા, એમ થાય કે-“ભગવાન છેટું કહે નહિ, પણ આ વાત સાચી હોય તે મારા જેવાને સમજાય નહિ, એ બને કેમ ?”—આ વિચાર સંશયને સ્થિર બનાવે અને એ વિચારમાં જે સારે પલટો આવે નહિ, તે કદાચ એ વિચાર મિથ્યાત્વને પણ ઉદયમાં લઈ આવે. * સ્વ-રસ–વાહિતા, એ એટલી બધી ભયંકર વસ્તુ છે કે-મહા જ્ઞાની અને બુદ્ધિશાળી એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને, જે તેઓ સાવધ રહે નહિ અને સ્વ-રસવાહિતાને આધીન થઈ જાય, તે તેમને તે સાંશયિક મિથ્યાત્વના અથવા તે આભિનિવેશિક મિથ્યાત્વના પણ સ્વામી બનાવી દે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy