SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્વને ગાઢ અધિકાર L[ ૧૦૭ નીય પ્રદેશદય ચાલુ હોય છે, જે સમ્યગ્દષ્ટિ આત્માઓને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, તે સમ્યગ્દષ્ટિ આત્માએ સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તે પણ, તેમને કઈ વાર સૂક્ષ્માર્થના વિષયમાં સંશય પેદા થઈ જ, એ શક્ય છે; પરન્તુ, એ આત્માએ પોતાના તે સંશયને, ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનના પ્રમાણિકપણાના જ્ઞાન અને શ્રદ્ધાન વડે, સહજમાં ટાળી શકે છે. સાંશયિક મિથ્યાત્વથી. બચવાના ઉપાય : સૂકમાર્થ આદિના સંબંધમાં તેઓના અંતરમાં જ્યારે જ્યારે સંશય પેદા થવા પામે ત્યારે ત્યારે તેઓ “तमेव सच्चं निस्सकं ज जिणेहिं पवेइये" –ઈત્યાદિ આગમવચનને યાદ કરીને, પિતાના તે સંશયનેસહેલાઈથી નિવારી શકે છે. “તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ પ્રરૂપેલું છે.” –આ અને આવા ભાવનાં બીજાં પણ વાક્યોને યાદ કરીને, ભગવાન શ્રી જિનેટવરના વચનના પ્રામાણ્યને હૈયામાં આગળ કરાયતે સૂક્ષ્માથે આદિના સંબંધમાં પ્રાયઃ સંશય ઉત્પન થવા પામેનહિ, અને કદાચ ઉત્પન્ન થવા પામે, તે ઉત્પન્ન થવા પામેલે તે સંશય ટકી શકે નહિ. કઈ પણ બાબત હોય, તે સમજાય નહિ અને તેમાં સંશય પેદા થઈ જાય, તે એના નિવારણને સૌથી સારામાં સારે ઉપાય એ જ છે કે–“ભગવાનના વચનની પ્રમાણિકતાને યાદ કરવી.” ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે–એમ મનમાં આવ્યું, એટલે એ તારકનું કોઈ વચન ન સમજાતું હેય ને સંશય પેદા થયે હેય, તેય એમ થાય કે-મારું જ્ઞાનકેટલું ? મારી બુદ્ધિ કેટલી ? હું તે છાસ્થ છું; મને ન પણ સમજાય પણ આ વચન ભગવાન શ્રી જિનેશ્વરદેવએ કહેલું છે, માટે આ વચન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy