SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] સમ્યગ્દર્શન-૧ શક્તિની ખુમારી પ્રગટી હશે. જો એમનામાં એવી ખુમારી ન પ્રગટી હાત, તા એમનુ પતન થાત નહિ. એ રાહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનના શિષ્ય પણ હતા અને સંસારી સબંધે તેઓ એ આચાર્ય ભગવાનના ભાણેજ પણ થતા હતા. શ્રીગુપ્ત આચાર્ય ભગવાનને અંતરજિકા નગરીમાં સપરિવાર સમવસરેલા જાણીને, તેઓશ્રીને વન્દન કરવાને માટે, એ રાહગુપ્ત મુનિ અંતરજિકા નગરી તરફ આવી રહ્યા હતા. અંતરજિકા નગરીમાં પેસતાં, રાહગુપ્ત મુનિએ, પટહ વાગતા સાંભળ્યો. એ પટહ પેલા પાટ્ટુશાલ પરિત્રાજક તરફથી વગડાવવામાં આવતા હતા અને તે સાથે એના તરફથી એવા પ્રકારની જાહેરાત કરાવાતી હતી કે—આ જમ્મૂદ્રીપમાં મારા જેવા વિદ્યાવાળા અન્ય કાઈ પણ નથી. ’ મુનિ રાહગુપ્તે જેવી એ જાહેરાતને સાંભળી, કે તરત જ તેમણે પેાટ્ટુશાલ પરિત્રાજકના એ પટહને નિવાર્યાં; અર્થાત્− હું તારી સાથે વાદ કરવાને તૈયાર છું.’–એમ એ રાહગુપ્ત મુનિએ પાટ્ટશાલ પરિત્રાજકને જણાવી દીધું. 6 એ વખતે, રહગુપ્ત મુનિએ એટલે પણ વિચાર કર્યાં નહિ કે– મારા ગુરુ મહારાજ આ નગરીમાં જ વિરાજે છે અને તેઓ મારા કરતાં પણ સમર્થ છે, છતાં પણ તેએ આ પહને નિવાર્યાં નથી, માટે કાંઇક કારણ હશે.' અથવા તે, એ રાહગુપ્ત મુનિએ એટલી પણ ધીરજ ધરી નહિ કે હું ગુરુ મહારાજની પાસે જાઉં છું, તા ગુરુ મહારાજને પૂછ્યા પછી વાત !' . રસ્તામાં જ પોટ્ટશાલ પરિવ્રાજકના પહને નિવારીને, રાહુગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનની પાસે આવ્યા અને પટહને નિવાર્યાની વાત કરી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy