SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] સમ્યગદશન-૧ તે એવું થાય નહિ અને એમાં જે સહન કરી શકે નહિ તે શું થાય? એવા વખતે, માર્ગથી અને આરાધનાથી નહિ ચૂકવાને માટે, ખૂબ ખૂબ ધીરજ રાખવી પડે. તત્ત્વબોધ માટેને વાદ, એ ધર્મવાદ છે. એ સિવાયના વાદ તે કુવામાં ગણુય. પિશાલ પરિવ્રાજક અને રાહગુપ્ત મુનિ વચ્ચેના વાદમાંથી ઉપજેલાં અનિષ્ટ આપણે ત્યાં રેહગુપ્ત નામને નિનવને પણ એક પ્રસંગ બનેલું છે. રેહગુપ્ત કેવા સંજોગોમાં નિષ્ફનવ બન્ય, તે ખાસ વિચારવા જેવું છે. કુવાદીની સાથે વાદમાં ઉતરવાથી, કેવું અને કેટલું બધું અનિષ્ટ પરિણામ આવવાનો સંભવ છે, તે હગુપ્તને પ્રસંગમાંથી પણ સારી રીતે જણાઈ આવે છે. વાદ કરવાની પાછળ જો તત્ત્વને જાણવાની અભિલાષા હોય નહિ અને કેવળ જયની જ અભિલાષા હેય, તે એ વાદી જ્યારે વાદમાં હારે છે, ત્યારે તે કેવા વિકરાળ વરૂપને ધારણ કરે છે, તેને જે નમૂને જે હય, તે તે માટે રહગુપ્તને જે વાદી મળ્યો હતો, તેને ઓળખી લેવા જેવો છે, અને કેવળ જયની જ અભિલાષા કેવું પતન પમાડે છે, એ જાણવાને માટે રેહગુપ્તને પણ ઓળખી લેવા જેવું છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામેથી પાંચસેથી કાંઈક અધિક વર્ષો વ્યતીત થયાં હશે, તે સમયમાં પ્રભુના શાસનમાં શ્રીગુપ્ત-નામના આચાર્ય ભગવાન, આ પૃથ્વીતલને પાવન કરતા વિચરતા હતા. એ આચાર્યભગવાન, એક વાર અંતરંજિકા નામની નગરીમાં પધાર્યા અને એ નગરીમાં આવેલા ભૂતગૃહ નામના ઉદ્યાનમાં એ આચાર્યભગવાને સપરિવાર સ્થિરતા કરી. તેઓશ્રી એ નગરીમાં વિરાજતા હતા, એવામાં એક પરિવ્રાજક એ નગરીમાં આવ્યું. એ પરિવ્રાજક ઘણી વિદ્યાઓને સિદ્ધ કરી ચૂક્યો હતું અને એથી તે ખૂબ ગર્વિષ્ઠ બની ગયો હતે. વિદ્યાથી ગર્વિષ્ઠ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy