SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) કરે તે વૃથા છે તું તારા નામ પ્રમાણે દુષ્ટ છે. કામથી અધ છે, છતે કાને બહેર થયું છે, પણ યાદ રાખજે, નરાધમ! તારા એ નીચ કૃત્યને તને બદલે મળ્યા વિના નહિ રહે.” બસ, એ શયતાન નજ સમયે. W: TT મુન્નાનાં, केवलं विषवर्धनम् " સપને દુધ પાવા જતાં તેના વિષમાં કેવળ વધારેજ થાય. તરત જ તે ગુસ્સાના જુસ્સાથી બેલી ઉઠયે-હું તારૂં એ પંડિતાઈનું પુરાણ સાંભળવા નથી આવ્યું. તારા કદાગ્રહની કઠણાઈ તું ભેગવી લે. ચાલ, કંઈ પણ લીધા વિના ઘરથી બહાર નીકળી. જા. અત્યારેજ બધું જ કરીને સીલ મારવામાં આવશે. પછી તારા સતીત્વના પ્રભાવથી મોટા મહેલ બનાવીને રહેજે.' “ભાઈ ! હવે તારી જીભને વધારે તકલીફ ન આપ. હું આ બહાર ચાલી, તું તારા રાજાને હુકમ બજાવી લે” એમ કહીને વિજયસુંદરી તરતજ ઘરની બહાર નીકળી ગઈ. એટલે દુષ્ટસિંહે તરતજ મંત્રોના મકાનને જપ્ત કરીને સીલ લગાવી દીધું. અભયા ડેસી બહુજ કેમળ દિલની હતી. તે માણસને બહુ ચાહતી હતી. વિજયાસુંદરી તરત અભયા પાસે આવી અને નિર્ભય થઈને બેલી કે–“માજી! હવે હું રાત દિવસ તમારી પાસે રહેવાની ઘરે મને ગઠિતું નથી. તમે મને રેટી કાંતતા. શીખવજે. કદાચ હું અહીંજ રાંધી લઈશ. માજી! તમને કંટાળે તો નહિ આવે ને ?' અભયારે તે એટલું જ જોઈતું હતું. તે સંતુષ્ટ થઈને બેલી–“બેટા! તું મારી પુત્રી તુલ્ય છે. તું અહીં રહીશ, તે મને અતિશય આનંદ થશે, તું એક શ્રીમંત ઘરની કુળવધુ હાથે શું કરવા રાંધે ? હું તને શંધી આપીશ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy