SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) કેઈવાર તેના ઘરે આવતી અને તેથી તેના ઘરના સ્ત્રીવર્ગની સાથે તેણીની સારી ઓળખાણ થઈ. ' ચંદનદાસ શેઠને સંતાનમાં એકની એક સરસ્વતી નામની પુત્રી હતી. નાનપણથી લાડમાં ઉછરેલ હોવાથી સરસ્વતી નાની વયમાં કંઇ પણ અભ્યાસ કરી શકી ન હતી. એક ખાનદાન અને ગર્ભ શ્રીમતિના પુત્ર સાથે તેણીના લગ્ન થયા, પણ દૈવયોગે લગ્ન થયા પછી છ મહિનામાં સરસ્વતીને પતિ મરણ પામ્યું. એટલે વૃક્ષ વિનાની વેલડી અને જળ વિનાની માછલીના જેવી તેની દુર્દશા થઈ પડી. આ વખતે સરસ્વતીની અવસ્થા સવા સત્તર વરસની હતી. બાળલગ્નથી થતી ખુવારીને ખ્યાલ કરીને શેઠાણીને બે વરસથી કન્યાના લગ્ન કરી નાખવાનો આગ્રહ છતાં ચંદનદાસ શેઠે વાયદા કરતાં વ્યતીત કર્યા, પણ નશીબનાં નખરાં માણસને પિતાની મરજી પ્રમાણે નચાવે છે. આ અચાનક દેવી કેપથી શેઠના ઘરમાં શોક છવાઈ રહ્યો. ચંદનદાસ શેઠનું ચિત્ત પણ બાવી વિધવા સરસ્વતીને જોઈને આકુળ વ્યાકુળ થઈ જતું. આ વખતે શેઠ, શેઠાણી તથા દુખિત સરસ્વતીને કેાઈ ધીરજ આપનારની જરૂર હતી. સરસ્વતીની સાથે વિજયસુંદરીને સારે સ્નેહ પામ્યા હતા, તે જ્યારે શેઠના ઘરે આવતી, ત્યારે સરસ્વતીને એકાદ વિનંદિની વાત સંભળાવીને રાજી કરતી હતી. તેથી તે બંનેને સ્નેહ પ્રતિદિન વધતો જતો હતો. વિજયસુંદરી શાણું, સદ્ગણું અને સારી ભણેલી હતી, છતાં જરૂરી વાત, સિવાય શેઠના ઘરે તે વધારે કઈવાર બેલી ન હતી. આ વખતે સરસ્વતીને આ આફતને આંચકે લાગતાં શેઠ, શેઠાણને પણ તેની અસર થઈ. અહા ! કન્યા જન્મે ત્યારથી તેના માતા પિતાને ચિંતા લાગુ પડે છે. કહ્યું છે કે – જાતિ પૂર્વ મત દિ વિના, कस्य प्रदेयेति ततः प्रद्धा । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy