SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) પસાર થતાં તે ખેદ પામતું ન હતું. લગભગ સાંજ સુધી તે સતત્ ચાલ્યો, પછી ફળાહાર કરીને તેણે વિસામે લઈ લીધો, આગળ જવાનો માર્ગ સુગમ ન હતું, છતાં તે પોતાની ઈચ્છાનુસાર ચાલતો અને વચમાં થાક લાગતાં તે બે ઘડી આરામ કરી લેતે. એમ જંગલમાં તેણે કેટલાક દિવસો પસાર કર્યો. એક વખત રાત્રે તે ઘર અરણ્યમાં ચા જતે હતે. તે વખતે આકાશમાંના તારલાઓ એકીટસે જાણે તેને જોઈ રહ્યા હતા. ચંદ્રમાને હજી ઉદય થયો ન હતો. અંધકારના સહાયથી રાત્રિએ પૃથ્વી પર પિતાનું રાજ્ય જમાવ્યું હતું. ચોતરફ દષ્ટિ ફેરવતાં અંધકાર સિવાય કશું જોવામાં આવતું ન હતું શિકારી પશુઓની ભયંકર ગજેનાથી વન ગાજતું હતું, સિંહની ગર્જના, વાઘના બરાડા અને શીયાળવાઓની કીકીયારી સાંભળતાં એ એકલા પ્રવાસીને ભયની કંઈ જ અસર ન થઈ. એવામાં એક રાક્ષસ કે જે સુધાથી બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો, તે એકદમ મંત્રીની પાસે દોડી આવ્યો. પિતાને ખેરાક વિના પ્રયાસે પ્રાપ્ત થયેલ જાણુને તે સંતુષ્ટ થયે. આવા અરણ્યમાં મનુષ્યના માંસને ગંધ પણ મળે મુશ્કેલ, ત્યાં સાક્ષાત્ જીવતા મનુષ્યની ભેટ થઈ ગઈ, તેથી તે રાક્ષસ ક્ષણભર નાચવા લાગી ગયે. તેના વિકરાળ સ્વરૂપથી ક્ષોભ ન પામતાં મંત્રીએ તેને મામા કહીને પ્રણામ કર્યા. પરંતુ "क्षुधातुराणां न दया न लज्जा" એટલે–ક્ષુધાતુરને દયા કે શરમ ન હોય. તરતજ તે રાક્ષસ બેલી ઉઠ–અરે ! અહીં મામાનું સગપણ કહાડીને શું છટકી જવા માગે છે? રાક્ષસ કંઈ મનુ ષ્યને મામે થઈ શો હશે? ભલા માણસ! એકવાર તે તું તૈયાર થઈ જા. હું તારું ભક્ષણ કરીને તૃપ્તિ પામીશ, ત્યારે જ મને કંઈ વિચાર કરવાનું સુજશે. બસ, તારા ઈષ્ટ દેવને સંભારી લે. હવે તું હમણાજ મારું ભક્ષ્ય થઈ જઈશ.” ઉતાવળીયા - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy