SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૩) એટલે–જેના હાથમાં ક્ષમારૂપ તરવરે છે, તેને દુર્જન શું કરવાનો હતો ? કારણ કે તેણખલા વિનાની જમીન પર પડેલ અગ્નિ પિતાની મેળે શાંત થઈ જાય છે. વળી બીજી ખૂબી એ છે, શાંત સ્વભાવ ધરનારને કઈ વિધી ન બને. કારણ કે કોધથીજ વિરોધની વૃદ્ધિ થાય છે અને તેથી વૈર ભાવ ઉદ્દભવે છે. છેવટે વિચારોના પોષણથી તે વૈરાગ્નિ વધીને કૈકને ભસ્મીભૂત કરે છે એ ક્રોધાગ્નિને નાશ કરનાર ક્ષમા એક શસ્ત્ર સમાને છે. કહ્યું છે કે વહ્ય લાનિતમ , क्रोधाग्नेरूपशामकम् । नित्यमेव जयस्तस्य, शत्रूणा मुदय; कुत; એટલે—જેની પાસે કોધાગ્નિને શાંત કરનાર ક્ષમારૂપ શસ્ત્ર છે, તેને સદા વિજયજ છે, તેના શત્રુઓ કદિ ઉદય પામતા નથી. હે ભલે ! આ ગુણો માત્ર સાધુ જનજ ધારણ કરી શકે, તેમ સમજવાનું નથી. શ્રાવકેને માટે પણ એ ગુણો તેટલાજ ઉપયોગી છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો પ્રા ત થયા પછી શ્રાવક ધર્મ સ્વીકારવાની યોગ્યતા આવે છે અને શ્રાવકની અગીચાર પડિમા આરાધ્યા પછી શ્રાવક યતિધર્મને માટે એગ્ય બને છે, છતાં તેમાં કેટલાક અપવાદ હેય છે. ભવભીરૂ અને સંસારના ભેગવિલાસમાં આસક્ત ન થતાં વેઠની જેમ તેને ભેગવી છૂટે છે, તેમ વિપત્તિના વાદળાં ઉપર ફરી વળે, તો પણ તેઓ હાવરા બનતા નથી. તે અશુભ કર્મના પરિણામ રૂપ માનીને પિતાના ધર્મોપગને લાંછન લગાડતા નથી. કર્મના સ્વરૂપને વિચાર કરીને સુખ-દુઃખમાં તેઓ સમાન ભાવે વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy