SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૪) આ વાત સાંભળતાં જ બે —“અરે એમાં આશ્ચર્થ પામવા જેવું શું છે ? સુતારને તેડીને કમાડ કહડાવી નાખે એટલે થયું. તે અજાણી સ્ત્રીઓ પોતે ચાલી જશે, અથવા તેમના પર શી આફત છે, તે કંઈ દાદ મેળવવા માગે, તે અહીં મારી પાસે હાજ૨ ક. પૂજારીએ કંઈ પણ બોલ્યા વગર હ્યાંથી નીકળી સુતારને લઈને મંદિર આગળ આવ્યા. સુતારે પિતાના બળ–કળથી કામ લેવા માંડયું. પણ બંને કમાડ એવા સજજડ થઈ ગયા હતા કે તે એક તસુમાત્ર પણ ડગમગ્યા નહિ, એમ ત્રણે મંદિરમાં સુતારને પ્રયત્ન વૃથા થતાં તે સુતાર સહિત પુજારીએ પુન શજ સભામાં આવીને રાજાને કહેવા લાગ્યા–“નામદાર મહારાજ! સુતારે ઘણી મહેનત લીધી, પણ કમાડ ડગતા નથી અને દ્વાર ઉઘડતા નથી. આથી રાજાને અચંબે છે. તરતજ તેણે હુકમ કર્યો કે—જે દ્વાર ન ઉઘડતા હોય, તે કપાટ ભાંગી નાખે એમ નિરાશ થવાથી શું વળવાનું છે ? પછી સુતાર અને લુહાર બંને પિતાના હથીયાર લઈને હાજર થયા. તેમણે પિતાનું બળ બધું અજમાવી જોયું, પણ કમાડ ઉઘાડી કે ભાંગી શક્યા નહિ. આથી તેમને એમજ લાગ્યું કે આ કેઈ દેવ-દેવીનું કામ લાગે છે. નહિ તે લાકડાના કમાડ ભાંગ્યા વિના કેમ રહે? અહીં તે મેટા કુહાડા અને ઘણું પણ બધા નકામા થઈ પડયા. એટલું જ નહિ પણ કરવતી કે કુઠાર બ્ઠા થઈ ભાંગી ગયા, છતાં કમાડને કંઈ ઈજા થવા પામી નહિ એમ આશ્ચર્ય પામતા તેમણે બનેલ બીના રાજાને નિવેદન કરી. જે સાંભળતાં રાજના આશ્ચર્યનો પાર ન રહ્યો. તરતજ રાજા પોતાના કેટલાક કારભારીઓને લઈને મંદિર આગળ આવ્યા અને પ્રધાનના મુખથી બારીના છિદ્ર માગે કહેવરાવ્યું કે-“હે મહાસતી! તમને અહીં કેઈ જાતને પરાભવ થયા હોય, તો જાજીને નિવેદન કરે કે જેથી તમને સહાયતા મળે. આ દેવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy