SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક૭ ૧૩ મું. રાક્ષસીને સુર્મ. વે આપણે મતિસાગરની તરફ ગતિ કરીએ. "बने रणे शत्रुजलग्निमध्ये महार्णवे पर्वतमस्तके वा । सुप्त प्रमत्तं विषमस्थित वा, ક્ષત્તિ કુખ્યાન સુઝતાન” | એટલે–વનમાં રણાંગણે, શત્રુ, જળ કે અગ્નિના સંકટમાં મહાસાગર કે પર્વતના શિખર પર માણસ સુતેલ હોય, પ્રમાદાવસ્થામાં હોય અથવા ઘાયલ થઈ પડેલ હોય, છતાં પૂર્વકૃત પુણ્ય તેનું અવશ્ય રક્ષણ કરે છે. આપણું મતિસાગરના પણ પુણ્ય પ્રબળ હતાં. સમુદ્રમાં પડ્યા પછી તરત જ તેને એક પાટીયું હાથ લાગ્યું. તેના આલંબનથી તે ત્રીજે દિવસે મહાસાગરના મેજાંઓમાં અથડાતાં કિનારા પર આવ્યું. ત્રણ દિવસ પાણીમાં રહેતાં તેના શરીરે શરદી વ્યાપી ગઈ અને છેલ્લા એક પ્રહરથી તે શરદીના બળે શુદ્ધિ ખોઈ બેઠો હતો. છતાં તરંગો સાથે અથડાતાં તે કિનારે પહોંચ્યા. અત્યારે તે બેભાન અવસ્થામાં હતું. પ્રભાતે બાલસૂર્યના શીતલ ક્રિણે મિશ્રિત પવનની લહરીથી તે કાંઈક શુદ્ધિ પામ્યા. જેમ જેમ કિરણે તપતા ગયા, તેમ તેમ તે ગરમીના બળે સ્વસ્થ થતે ગયે. એમ એક પ્રહર દિવસ ચડતાં તેના લેચન ઉઘડ્યાં અને બરાબર તે શુદ્ધિમાં આવી ગયે, ચેતરફ નજર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy