SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮) બસ, તેમાં કમજન્ય સુખ દુઃખ સ્વીકારવા લાયક છે. મને અત્યારે જે સંકટ સમુપસ્થિત થયું છે, તે પણ પૂર્વ કર્મ જનિત છે. એટલે એ ભોગવ્યા વિના અન્ય ઉપાય નથી. કદાચ હું હમણું માથું કુટીને મરી જાઉ તે પણ એ કર્મને દયા આવે તેમ નથી. ત્યારે શું આમ કલ્પાંત કરીને મારે સમસ્ત જીવન ગાળવું? તેમ કરવાથી પણ માથે આવી પડેલ દુઃખ કયાં ટળી જવાનું છે? હવે કંઈક હિમ્મત લાવીને ભાવિ જીવનને સુધારવું એજ સર્વોત્તમ કર્તવ્ય છે. તેમ કરતાં ધર્મના પ્રભાવે જે સ્વામી સાંપડયા તે ઠીક, નહિ તે કરેલ કમ ભગવાઈને ક્ષીણ થશે અત્યારે લાંબે વખત હાયવરાળથી હવે શું વળવાનું હતું કારણ કે “ તાવ, માહ્ય મેતવ્યું, यावद् भयमनागतम । - आगत तु भयं वीक्ष्य, નાઃ યથોચિતમ” | એટલે-જ્યાં સુધી જાય માથે આવી ન પડે, ત્યાં સુધી તેનાથી પડતા રહેવું, તે ઠીક; પણ તે માથે આવી પડતાં તે તેને યથચિત પ્રતીકાર લે, તે વખતે ધીરજ બેઈને ન બેસવું. અત્યારે હવે મારા ધન-માલ કરતાં શરીર કરતાં શીલ વધારે કિંમતી છે, માટે સર્વસ્વના ભેગે પણ એક શીલનું અખંડિત રક્ષણ કરવું–એજ મારું કર્તવ્ય છે. સ્ત્રીને એજ સાચો શણગાર છે અને વિપત્તિ વખતે એજ વ્હારે આવનાર છે. જે મહિલા પોતાના શીલને ખોઈ બેસે છે, તેને આ ભવ અને પરભવે અનેક સંકટ સહન કરવો પડે છે. સીતા દમયંતી સુલસી, સુભદ્રા વિગેરે મહાસતીએ પિતાના સતીત્વના પ્રભાવથી ભારતમાં આજે ઘરે ઘરે ગવાય છે. અહે! એ શીલનો મહિમા જગજાહેર છે, તે દેવતાઓને દાસ બનાવે છે કારણ કે— Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy