________________
પ્રાસગિક
શાંતિપથ-દર્શન ૧ અને ૨ ના ગુજરાતી અનુવાદના ગ્રંથ દ્વારા આપણે સૌ સ્વ. જિનેન્દ્ર વીજીથી સુપરિચિત છીએ. વળી આ ક રહસ્ય' પુસ્તકના અનુવાદ કરવાની પ્રેરણા મળી તે મારે માટે શુભયેાગ છે. વીજીએ આ ગ્રંથમાં કેવળ કર્મના સિદ્ધાંતની મુખ્યતા નથી ગ્રહી પરંતુ માનવમનના સૂક્ષ્મ સ્તરા પર કેવી વ્યથા અને કથાનું નાટક ખેલાઈ રહ્યું છે તેને તાદૃશ કર્યુ છે. તે અનુવાદ કરતાં સમજાતું ગયું કે મનની સૂક્ષ્મ ભૂમિકા પર ઊઠતા તરંગા કેવા આકાર લેતા હેાય છે. તાત્ત્વિક સિદ્ધાંતને સમજવા સરળ પડે તેવી તેએની લેાકરુચિકર ઉત્તમ શૈલી છે. બુદ્ધિવર્ષીક મનુષ્યાને કે શ્રદ્ધાયુક્ત માનવને આ પુસ્તકનું તત્ત્વ સ્પર્શે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. અને છતાં કોઈ સાંપ્રદાયિકતા તેમાં જણાતી નથી.
આ પુસ્તકમાં સવિશેષ સ્પર્શે તેવા વિષયેા છે સમગ્રતા, પ્રાયે જે અન્ય ગ્રંથમાં સ્પષ્ટપણે જાણવા મળતી નથી. ‘અહું ઇંદ્ર”ને જ્ઞાતારૂયરૂપે દર્શાવી અહંને ખાળ્યે છે. મનને અક્ષય ખજાના શું છે? સાતૃત્વ, કતૃત્વ અને શ્વેતૃત્વની સ્પષ્ટતા, કામ ણુ-તેજસ શરીરની વૈજ્ઞાનિક રૂપરેખા અને સમ્યક્ત્વનાં આઠ અંગોનું જીવનમાં નવતર સ્થાન, આ વિષયે વાચકને રુચિકર અને રસપ્રદ થાય તેવા છે તે નિઃશંક છે.
આ સર્વ વિષયને સમજવાની ભૂમિકા માટે તેમણે પ્રાર'ભમાં જ અંતદૃષ્ટિને ખેલવાની વાત સમજાવી છે. જેથી તળાવે ગયેલે માનવ તરસ્યા ન રહે. અંતર્દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org