________________
પ્રકાશકીય શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર દ્વારા તેના સ્થાપનાકાળથી જ નિયમિતપણે સંસ્કારી, વિચારપ્રેરક અને આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે. એક અદના મનુષ્યથી માંડીને સંસ્કારપ્રિય વર્ગને તથા આધ્યાત્મિક રુચિવાળા વર્ગને – એમ સૌ કોઈને કંઈ કંઈ ઉપગી અને ઊર્ધ્વગામી વાચન આપવાને અમારો પ્રયત્ન રહ્યો છે. જેના ફળ રૂપે તેર પુસ્તકે તથા એક અંગ્રેજી અને એક હિંદી પુસ્તક ખાસ વાચકે માટે પ્રકાશિત કર્યા છે.
સંસ્થાના આજીવન, સંરક્ષક અને આશ્રયદાતા સભ્યને સંસ્થાનું મુખ્ય વાર્ષિક પ્રકાશન ભેટરૂપે આપવાની તથા “દિવ્યધ્વનિ માસિક આજીવન માલવાની અમારી નીતિથી આપ સૌ માહિતગાર છે.
સંસ્થાનાં ધારાધેરણ અને શક્તિને અનુસરીને બીજા વધુ ગુજરાતી, હિંદી કે અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન કરવાની સંસ્થાની ભાવના છે, જેથી સંસ્થાનાં પુસ્તકોના વાચનમાં યુવક યુવતીઓ અને સંસ્કારપ્રિય બુદ્ધિજીવી વર્ગ પણ વિશેષ સક્રિયપણે રસ લઈ શકે.
આ ભાવના અનુસાર જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાળા” સંવત ૨૦૪૨ના અષાઢ સુદ પૂનમથી શરૂ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org