________________
પાંચ લબ્ધિ
જ કરી શકાય ?
૧. વિશિષ્ટ પુણ્ય
કલ્યાણના માર્ગમાં ઉપાદેય જે પુણ્યાનુબંધી પુણ્યને ઉલ્લેખ પૂર્વે કરવામાં આવ્યું છે તેનું સૈદ્ધાંતિક સ્વરૂપ શાસ્ત્રોમાં પાંચ લબ્ધિના નામે પ્રસિદ્ધ છે. જોકે સામાન્ય પણે જીવની તન્મુખી પાંચ પ્રધાન ઉપલબ્ધિઓનું વિવેચન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તથાપિ સૂક્ષમ દષ્ટિએ જોતાં આ પાંચ વિગતમાં સમસ્ત આચારશાસ્ત્ર તથા વિશેષતઃ ગૃહસ્થાચાર ગર્ભિત છે. જોકે મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી પ્રારંભ થાય છે. તેના સિવાય જ્ઞાન, ચારિત્ર, સંયમ, તપ વગેરે સર્વ મિથ્યા છે. છતાં સમ્યગદર્શનની ઉત્પત્તિ પણ કઈ વિશિષ્ટ જાતિના પુણ્યનું ફળ છે. તે પાંચ લબ્ધિના પ્રકરણમાં સવિશેષરૂપે જણાવી છે. ગ્રંથના અંતમાં પુણ્યના વિષય પર હું આટલું જોર આપું છું તેમાં મારે કોઈ પક્ષપાત નથી. તમારું સર્વનું કલ્યાણ થાઓ, તમે સૌ ઉપર ઊઠે એ જ માત્ર પ્રયજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org