________________
૧૯૪
ક રહસ્ય
સત્તામાં પણ તે સંસ્કારોની છાયા શેષ રહેતી નથી તેથી તે સમયે પોતાના ઉદયના પ્રભાવ દર્શાવવા માટે આંશિક પણ કઈ શેષ રહેતું નથી. સંસ્કારનું આવું પૂર્ણ મૂલેચ્છેદન ‘ક્ષય' કહેવાય છે. સમતાની દૃષ્ટિએ ઉપશમ તથા ક્ષયમાં કઈ અંતર નથી. તે મને પૂર્ણુ છે છતાં તેની કાળમર્યાદાની દૃષ્ટિએ બંનેમાં માટુ અંતર છે. ઉપશમયુક્ત સમતા સદાને માટે ટકી જાય છે. એક વાર ઉત્પન્ન થયા પછી કારે પણ તે નાશ પામતી નથી.
સંસ્કારના ઉપશમ ડહેાળા પાણીના કચરા નીચે ઠરે તેના જેવા છે. વાસણના હાલી જવાથી તરત જ નીચે રહેલા કચરા પાણીમાં વ્યાપી જાય છે અને પાણી અસ્વચ્છ થઈ જાય છે. અને ક્ષય તે સ્વચ્છ પાણી જેવું છે.
૫. નિધત્ત-નિકાચિત
નિધત્ત તથા નિકાચિત કઠોર સંસ્કારની સંજ્ઞા છે. જેમાં કોઈ પણ પ્રકારનું કંઈ પણ પરિવર્તન થવું સંભવ નથી. તે પોતાનું પૂર્ણ ફળ આપીને નીખરે છે. વ્યક્તિને તેનુ' ફળ અવશ્ય ભોગવવું પડે છે. નિકાચિતની અપેક્ષાએ નિશ્ચત્ત કઈક કામળ છે. તેમાં અપકછુ કે સંક્રમણ થવું સંભવ નથી, તથાપિ ઉત્કષણ અવશ્ય થઇ શકે છે. જ્યારે નિકાચિતમાં અપકષ ણુ, ઉત્કષ ણુ કે સંક્રમણુ થઇ શકતું નથી. ૬. દસ કર્ણાનું એકત્ર
કરણાનુયાગમાં કથિત દસે કરણા કે અધિકારોના જે પ્રકાર સિદ્ધાંત શાસ્ત્ર દ્રવ્યકમમાં ઘટાવી બતાવે છે તે પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org