SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કર્મ રહસ્ય પણ તે સમયે એ એક ક્ષણથી અધિક આંખ ખુલ્લી રાખવામાં સમર્થ નથી કારણ કે બહારના પ્રકાશને સહન કરવાને તે સમર્થ ન હોવાથી તેની આંખ સ્વયં બંધ થઈ જાય છે. તે પ્રકારે અનાદિ કાળથી સંસ્કારને આધીન વ્યક્તિમાં ગુરુકૃપાથી સંસ્કારોનું કદાચિત્ ઉપશમન થઈ જાય, અને તેના ફળરૂપે અંતઃકરણની રસાનુભૂતિ થઈ જાય તે પણ એક ક્ષણથી અધિક તે તેને ધારણ કરવાને સમર્થ નથી. તેના તેજને સહન કરવા માટે સમર્થ ન હોવાથી તેનું ચિત્ત પુનઃ તત્ત્વને દૂર કરીને બાહ્ય જગતમાં આવી જાય છે. એને એ ક્ષણિક ભાવ વ્યક્તિની ભૂમિકા કે રસાનુભૂતિ તથા સંસ્કારની ભૂમિકાનુસાર “ઉપશમ કહેવાય છે. જે પ્રકારે તે રેગી તિને વશ પિતાની બંધ આંખને પુનઃ પુનઃ ખેલે છે પરંતુ પૂરી તિને સહન કરવામાં અસમર્થ હેવાથી તે આંખને પૂરી ખેલી શકતે નથી પણ આંશિક જ ખેલી શકે છે, તે પ્રમાણે ઉપશમયુક્ત રસાનુભૂતિના લેભને કારણે વ્યક્તિ પુનઃ પુનઃ સમતા પ્રત્યે ટકવાનો પ્રયત્ન કરે છે પણ પૂર્ણપણે સમતાને સહન કરવા અસમર્થ હેવાથી તેમાં પૂર્ણ પ્રવેશ થઈ શકતું નથી. આંશિક પ્રવેશ મળે છે. આંશિક આંખ ખેલવાથી વ્યક્તિ તિને જોઈ શકે છે ખરી પણ પૂર્ણ પણે નહિ. તે પ્રકારે આંશિક સમતાને પ્રવેશ વ્યક્તિને રસાનુભૂતિ કરાવે છે, પરંતુ તે પૂર્ણ હોતી નથી. ઉપશમની પ્રથમ ક્ષણમાં તે જેવી પૂર્ણ હોય છે તેવી નહિ પણ કંઈક ઝાંખી હોય છે. એવી ઝાંખી રસાનુભૂતિ તે વ્યક્તિને “ક્ષપશમભાવ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy