SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સંરકાર ૧૭૩ તેને આસવતત્ત્વમાં આગળનું વિવેચનમાં સમાવેશ કરવામાં આવશે. વામનઃ રા યોrઃ રસ કાઢવઃ | આ સૂત્ર આ વિષયમાં પ્રમાણ છે. ૨. સંસ્કારપરિચય બાહ્ય કે આયંતર જગતમાં આપણે જે કંઈ પણ કામ કે કાર્ય કરીએ છીએ તે કામ તથા કર્મ તે જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. છતાં પણ આપણી ચિત્તભૂમિ પર પિતાનું પદચિહ્ન અંકિત કરતાં જાય છે. –-જેમ માતાના ઘર પર પરિણીત યુગલના હાથના થાપા છે. તેમ આ અંકન સમાપ્ત થયા પછી પણ ચિત્ત ઉપર તેની અસર રહે છે. કદાચ આ વાત તમને અપરિચિત લાગે છતાં સૂક્ષ્મ દષ્ટિથી અંદર જોતાં તેની સત્યતા પ્રતીત થશે. જેમાં માટીના કાચા રસ્તા પર ચાલતાં આપણે પગની છાપ તેના પર અંકિત. થાય છે તેમ આપણે દરેક કાર્ય કે કમ સમાપ્ત થતાં પહેલાં આપણા ચિત્ત પર પિતાનું ચિહ્ન અંકિત કરી લે છે. જોકે અત્યંત અસ્પષ્ટ હોવાને કારણે તે તરત જ આપણને પ્રત્યક્ષ જણાતાં નથી. છતાં પણ સમયના વહેણ સાથે તે દઢ બની જતાં પ્રત્યક્ષરૂપે પ્રગટ થાય છે. છતાં પિતાની પૂર્વાવસ્થામાં તે અત્યંત સૂક્ષ્મ હોય છે તેથી ધૂળમાં પડેલાં પગલાં જેમ શીઘ્રતાથી નાશ પામે છે તેમ આ સંસ્કાર શીવ્રતાથી નાશ પામે છે, છતાં સમયના વહેણમાં વળી પરિપકવ થઈ જવાથી તે પાષાણ પર સ્પષ્ટ જણાતી રેખાની જેમ શીધ્રપણે નાશ પામતા નથી. કાર્ય કે કર્મનાં પદચિહ્ન કેવળ માટી પર પડેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy