________________
-એમનો તુલનાત્મક અભ્યાસ અને પ્રવાહવાળી લેખનશૈલી જોતાં કોઈ પણ જૈન કે જૈનેતરને સન્માન પુર્યા વિના નહીં રહે. – જિનવાણી” માસિક, લાંબુ આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી ન થયું તેથી શ્રી ભટ્ટાચાર્યજીના લેખે પણ અધૂરા જ રહી જવા પામ્યા, એ એક ખેદની વાત છે. જૈનેતર જીજ્ઞાસુઓ જૈન દર્શન પ્રત્યે કેવી શ્રદ્ધાની નજરે જુએ છે તે આ લેખો ઉપરથી જણાશે. -બનારસ-હિંદુ-યુનીવર્સીટીના જૈન ચેરના પ્રમુખ પંડિત શ્રી સુખલાલજીને કેટલાક લે, સંશોધનની દ્રષ્ટિએ વંચાવી જોયા છે. પૂરતો અવકાશ ન હોવા છતાં એમણે આ લેખો વાંચ્યા અને નિદર્શન પણ લખી મે કહ્યું. –પંડિત સુખલાલજીએ, પૂજ્ય મુનિરાજ દર્શનવિજયજીએ, પંડિત શ્રી ભગવાનદાસભાઈએ તેમજ શ્રી હીરાચંદભાઈએ સલાહ, સૂચના તથા ટિપ્પણ આદિ લખી આપવામાં અને પ્રફના સંશાધન વિગેરેમાં જે સહકાર આપે છે તે બદલ અંતઃકરણપૂર્વક એમનો અહીં ઉપકાર માનું છું. –ઉંઝાવાળા વૈદ્યરાજ નગીનદાસભાઈએ, પુરતક–પ્રકાશનની બધી ગોઠવણ કરી આપી, મને ઉત્તેજીત કર્યો તે માટે તેમનો પણ ઋણી છું. આ પુસ્તકમાં રહી જવા પામેલા દોષે, જે કંઈ બતાવશે તો હું એમને આભાર માનીશ અને બીજી આવૃત્તિ કાઢવાનું સદભાગ્ય સાંપડશે તો એ દેની પુનરાવૃત્તિ નહીં થવા દઉં.
સુશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org